મુંબઈઃ જ્યારથી સોનમ વાંગચૂક નવી દિલ્હીમાં અનશન પર ઊતર્યા છે એ પછી બોલિવૂડના ઘણા કલાકારો એના સમર્થનમાં ઊતર્યા છે. પહેલા દિવસથી એની નોંધ લઈને હવે બોલિવૂડના જાણીતા એક્ટર અને એન્કર શેખર સુમને મોદી સરકારને આકરા સવાલ કર્યા છે. શેખર સુમન જે તેમના શૉ 'શેખર ટુનાઇટ'માં રાજકારણીઓને નિશાન બનાવવા અને સામાજિકથી લઈને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે જાણીતા છે. તેમણે હવે સોનમ વાંગચૂકને ટેકો આપ્યો છે. 'શેખર ટુનાઇટ'ના તાજેતરના એપિસોડમાં તેમણે વાંગચૂક વિશે વાત કરી હતી. જેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે 21 દિવસથી જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા.
આ ક્ષણે માહોલ ગરમાયો
તારીખ 18 જુલાઈના રોજ દિલ્હી પોલીસે તેમની અટકાયત કરવામાં આવી ત્યારથી માહોલ ગરમાયો છે. તેમને સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવામાં આવ્યા છે. આ પગલાથી વિરોધીઓમાં હોબાળો મચી ગયો. આ એપિસોડ જંતર-મંતર પર પોલીસ કાર્યવાહીના થોડા કલાકો પહેલા પ્રસારિત થયો હતો અને તેની ક્લિપ્સ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તેઓ 'શેખર ટુનાઇટ' સાથે પાછા ફર્યા બાદ શેખરે 'મૂવર્સ એન્ડ શેકર્સ'ના નવા એપિસોડમાં રાજકીય વ્યંગ કર્યો છે. આ શોની એક ખાસ વાત એ છે કે, તેનો પ્રારંભિક એકપાત્રી નાટક છે, જેમાં શેખર સુમન તેમની લાક્ષણિક સ્પષ્ટ શૈલીમાં મુખ્ય રાષ્ટ્રીય ચર્ચાઓ, સમસ્યાઓ અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરે છે. તાજેતરના એક એપિસોડમાં તેમણે વાંગચુકની ભૂખ હડતાળનો ઉલ્લેખ કર્યો અને સરકારના મૌનની ટીકા કરી હતી. આ સાથે તેણે જે અંદાજથી વાત કરી એ સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે.
કેમ બીજાને આશ્ચર્ય થતું નથી
શેખર સુમને કહ્યું કે,સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે ઘણા દિવસોથી જંતર-મંતર પર ભૂખ હડતાળ પર છે. મને એ જોઈને આશ્ચર્ય થાય છે કે, બીજા કોઈને આશ્ચર્ય નથી થતું. એક વ્યક્તિ દેશ અને સમાજના ભલા માટે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અને ભાંગી પડેલી શિક્ષણ વ્યવસ્થાને બચાવવા માટે ઉપવાસ કરી રહ્યો છે. છતાં એ સિસ્ટમ આરામથી પોઢી રહી છે.
આ એક એવી વ્યવસ્થા છે જે ફક્ત મૂંગી, બહેરી અને અસંવેદનશીલ જ નથી પણ સંકુચિત મનની, હાર્ટલેસ અને આત્માહીન પણ છે. ભલે થાકેલા, ઊર્જાહીન શરીરમાં શારીરિક શક્તિનો અભાવ હોય, તે દેશના લાખો યુવાનોની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જો કોઈ નજીકથી જુએ, તો આપણી વચ્ચે - જીવંત લાશોના ટોળામાં - તે એકમાત્ર ખરેખર જીવંત વ્યક્તિ સમાન છે. મને એ જોઈને આશ્ચર્ય થાય છે કે બીજું કોઈ આશ્ચર્યચકિત નથી થતું. તાજેતરમાં, સોનમ વાંગચુકે સરકાર વિરુદ્ધ ભૂખ હડતાળ કરી હતી.
બાળકોના જીવ લેવા માગો છો?
જે દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને તેમના રાજીનામાની માંગણી કરી છે. પહેલા, હું એવા લોકોને પ્રશ્ન કરવા માંગુ છું જેઓ દાવો કરતા હતા કે લોકશાહી ખતરામાં છે. ખતરો ક્યાં છે? સરકાર તમને ટ્વિટર પર ટ્રેન્ડ કરવાની, ભૂખ હડતાળ કરવાની, વિરોધ પ્રદર્શન કરવાની અને જેલમાં જવાની પણ મંજૂરી આપે છે. તમે બીજું શું ઇચ્છો છો? શું તમે બાળકનો જીવ લેવા માંગો છો? આવા સવાલ તેમણે કેન્દ્ર સરકાર સામે કર્યા છે. આટલી બધી સુવિધાઓ મેળવ્યા પછી પણ લોકો હજુ પણ ઇચ્છે છે કે, સરકાર તેમની વાત સાંભળે.
લોકશાહીનો અર્થ સાંભળવાનો પણ છે, ખરું ને? તેનો અર્થ સહમત થવાનો પણ ક્યારે થયો? વાંગચુક પણ ખૂબ જ વિચિત્ર છે. તેઓ આવી નાની બાબત પર રાજીનામું માંગી રહ્યા છે. ખરેખર શું થયું? છેવટે, તે ફક્ત થોડા લાખ બાળકોનું ભવિષ્ય હતું જે દાવ પર હતું. કોઈએ ફક્ત કોચિંગ ક્લાસ માટે પોતાનું ઘર ગીરવે મૂક્યું. કેટલાક માતાપિતાએ ફક્ત તેમના ઘરેણાં વેચી દીધા. કોઈએ આખું વર્ષ એક રૂમમાં બંધ રાખ્યું અને ફક્ત વીસ કે એકવીસ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી.
આકરા શબ્દોમાં બોલ્યો શેખર
હવે, જો મંત્રીઓ આવી નાની બાબતો પર રાજીનામું આપવાનું શરૂ કરે, તો આપણે દર વર્ષે એક નવા મંત્રીને શપથ લેતા જોશું. તેમનો અડધો સમય શપથ લેવામાં અને બાકીનો અડધો સમય રાજીનામું આપવામાં પસાર થશે. તો, મને કહો, વિકાસ ક્યાંથી આવશે? કંઈ પૂછશો નહીં. બંધ થઈ જાવ. આવું પહેલીવાર નથી કે, શેખર સુમને સોનમ વાંગચૂક અંગે વાતચીત કરી હોય. આ પહેલા જ્યારે તેઓ અનશન પર બેઠા એ સમયને એક અઠવાડિયાનો સમય થયો હતો એ સમયે પણ શેખરે આકરા સવાલ સરકાર સામે કર્યા હતા.
આ પહેલા વિશાલ દદલાની, સોનાક્ષી સિંહા અને આમીર ખાન જેવા સેલેબ્સ એમના વિશે બોલી ચૂક્યા છે. આમીરે તો પોતાની ફિલ્મને લઈને ચોખવટ કરી હતી કે, થ્રી ઈડિયટ્સ ફિલ્મ એમનાથી કોઈ રીતે પ્રેરિત નથી. પણ આ ફિલ્મે એમને પ્રેરિત કર્યા છે.