Mon May 04 2026

Logo

સીએસકેનો ફાસ્ટ બોલર રામકૃષ્ણ ઘોષ પગમાં ફ્રેક્ચરના કારણે આઈપીએલ 2026માંથી બહાર

2026-05-04 19:34:57
Author: વિપુલ વૈદ્ય
Article Image

IPL


ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઈજાગ્રસ્ત ખેલાડીનો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર રામકૃષ્ણ ઘોષ રવિવારે આઈપીએલ 2026માંથી જમણા પગમાં ફ્રેક્ચરના કારણે બહાર થઈ ગયો છે. ચેપોક ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે સીએસકેની મેચ દરમિયાન ઘોષને ઈજા થઈ હતી, જે ઘરઆંગણે તેમણે 8 વિકેટથી જીતી હતી.

‘ચેપોક ખાતે સીએસકે વિરુદ્ધ એમઆઈની મેચ દરમિયાન રામકૃષ્ણ ઘોષને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. તે આઈપીએલ 2026માં હવે ભાગ લેશે નહીં,’ એમ ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર જાહેરાત કરી હતી. 
સીએસકેએ હજુ સુધી ઘોષના સ્થાને બીજા ખેલાડીની જાહેરાત કરી નથી, જેણે એમઆઈ સામે ત્રણ ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી.

મહારાષ્ટ્રનો આ ફાસ્ટ બોલર સીએસકેના ખેલાડીઓની હરોળમાં છે જે ઈજાને કારણે આ આઈપીએલ સિઝન ગુમાવી ચૂક્યો છે. અન્ય ખેલાડીઓમાં આયુષ મ્હાત્રે, ખલીલ અહેમદ અને નાથન એલિસનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને આ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી.