Tue Jan 27 2026

Logo

White Logo

બ્રેકિંગ ન્યૂઝ 23 Jan 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

4 days ago
Author: Mumbaisamachar Team
Video

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

4 days ago

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે પંજાબમાંથી ચાર આતંકીઓ ઝડપાયા

દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે પંજાબમાંથી આઈએસઆઈ સમર્થિત  ચાર આતંકીઓ ઝડપાયા છે. તેમની પાસેથી અઢી કિલોગ્રામ RDX અને બે ગેરકાયદે પિસ્તોલથી બનેલું એક શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણ જપ્ત કરવામાં આવ્યું હતું.

4 days ago

થાઈલેન્ડથી રશિયા જતી ફ્લાઈટમાં ખામી સર્જાઈ, ઈમરજ્ન્સી લેન્ડિંગ કરાતા મુસાફરો સુરક્ષિત

થાઈલેન્ડથી રશિયાના બાર્નૌલ જતી ફ્લાઇટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેના લીધે 246  મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. જોકે, આ દરમિયાન ચીન મદદે આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ વિમાને  ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં લાન્ઝોઉ ઝોંગચુઆન આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ઈમરજ્ન્સી લેન્ડિંગ કર્યું હતું.

4 days ago

કાશ્મીરમાં આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીરના સંયુક્ત અભિયાનમાં સુરક્ષા દળોએ રાજ્યા કઠુઆ જિલ્લામાં એક આતંકવાદીને ઠાર કર્યો છે, જ્યારે હજુ સર્ચ અભિયાન ચાલુ છે.

4 days ago

રાહુલ ગાંધીએ અમેરિકન ટેરિફ અંગે પીએમને જવાબદાર ગણાવ્યા, કર્યા પ્રહાર

દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની કથળતી હાલત અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકન ટેરિફ માટે પીએમ મોદી સીધા જવાબદાર છે. તેમજ આ મુદ્દે ધ્યાન આપવા પીએમ મોદીને અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું અમેરિકન ટેરિફના લીધે ટેક્સટાઇલ નિકાસને મોટો ફટકો પડ્યો છે.

4 days ago

કાનપુર પોલીસે સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કર્યો, રૂપિયા 2 કરોડ રોકડા અને 61 કિલો ચાંદી જપ્ત કરી

ઉત્તર પ્રદેશમાં કાનપુર પોલીસે સટ્ટાબાજી રેકેટનો  પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે રેડ કરીને  રૂપિયા 2 કરોડ રોકડા અને 61  કિલો ચાંદી જપ્ત કરી છે.તેમજ ચાર આરોપીની ધરપકડ પણ કરી છે.

4 days ago

ઉજ્જૈનમાં હિંસાઃ બસને સળગાવી

ઉજ્જૈનના તરાનામાં ગઈકાલે બે જૂથ વચ્ચે હિંસા થઈ હતી, જેને લઈ આજે હિંસક તોફાનો થયા છે. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કર્યા પછી એક બસને આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસાને લઈને સમગ્ર વિસ્તાર પોલીસની છાવણીમાં ફેરવાઈ ગયો છે.

4 days ago

કેરળના સીએમ પિનરાઈ વિજયને પીએમ મોદીના વખાણ કર્યા

કેરળના સીએમ પિનરાઈ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. પીએમ મોદીએ આજે  તિરુવનંતપુરમમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે સીએમ પિનરાઈ વિજયને પીએમ મોદીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આ કેરળના વિકાસ માટે એક મોટો દિવસ છે. પીએમ મોદીએ આજે અનેક પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે જે રાજ્યના વિકાસમાં મદદરૂપ થશે.

4 days ago

રાજકોટના અટલ સરોવરે લોકોમાં આકર્ષણ જમાવ્યું, 14 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

ગુજરાતના રાજકોટમાં  રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે અટલ સરોવરનું માર્ચ 2024માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને જાહેર જનતા માટે 
1 મે 2024ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.  જે અટલ સરોવર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ આજ દિન સુધીમાં 14 લાખથી વધુ લોકો  મુલાકાત લઈ લીધી છે. અટલ સરોવરને  આધુનિક મનોરંજન અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.

4 days ago

વડોદરામાં પોલીસ કસ્ટડીમાં આરોપીનો આપઘાત

વડોદરામાં પોલીસ કસ્ટડીમાં આરોપીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના બહાર આવી છે.  નિરાલા પ્રસાદ ઉંમર-૬૦ વર્ષ નામના આરોપીએ ભાદરવા પોલીસ મથકમાં આરોપીએ આત્મહત્યા કરી લીધી છે. થોડા દિવસ અગાઉ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

4 days ago

BRSના કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામા રાવ SIT સમક્ષ હાજર

હૈદરાબાદમાં BRSના કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામા રાવ  તેલંગાણા ભવન પહોંચ્યા છે. ફોન ટેપિંગ કેસના સંદર્ભમાં તેઓ આજે  સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ હાજર થવાના છે.

4 days ago

અમદાવાદમાં ફરી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદમાં ફરી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જો કે શહેરની અન્ય સ્કૂલોને પણ ધમકી મળી હોવાની શક્યતા સેવાઇ રહી છે.

4 days ago

ઝારખંડમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન

ઝારખંડના સારંડા જંગલમાં સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.  જેમાં 2.35 કરોડનાં ઇનામી ટોચના કમાન્ડર અનિલ દા સહીત 15 નકસલવાદી ઠાર મરાયા હોવાના અહેવાલ છે.

4 days ago

રાજ્યમાં ઠંડીના જોરમાં આંશિક ઘટાડો

ગુજરાત રાજ્યમાં ઠંડીના જોરમાં આંશિક ઘટાડો નોંધાયો છે, મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં 16.8 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં નલિયા 10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું છે, જ્યારે અમરેલીમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 17.2 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી અને રાજકોટમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આ ઉપરાંત, ઉત્તર અને પૂર્વ ગુજરાતના ડીસામાં 15.3 ડિગ્રી અને દાહોદમાં 14.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા ઠંડીમાં સામાન્ય રાહત અનુભવાઈ છે.