દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
બદ્રીનાથ-કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ મંદિરોની પવિત્રતા જાળવી રાખવા મોટો નિર્ણય લીધો છે. તેમણે આગામી બોર્ડ બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત બદ્રીનાથ, કેદારનાથ તથા અન્ય મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 77મા પ્રજાસત્તાક દિવસની સૌ નાગરિકોને શુભેચ્છા..! આજના આ રાષ્ટ્રીય પર્વના અવસરે સંવૈધાનિક મૂલ્યો પ્રત્યે સમર્પિત રહીને 'વિકસિત ભારત'ના ધ્યેય સાથે લોકશાહીને વધુ ઉન્નત બનાવવા સંકલ્પબદ્ધ થઈએ.
77મા પ્રજાસત્તાક દિવસની સૌ નાગરિકોને શુભેચ્છા..!
— CMO Gujarat (@CMOGuj) January 26, 2026
આજના આ રાષ્ટ્રીય પર્વના અવસરે સંવૈધાનિક મૂલ્યો પ્રત્યે સમર્પિત રહીને 'વિકસિત ભારત'ના ધ્યેય સાથે લોકશાહીને વધુ ઉન્નત બનાવવા સંકલ્પબદ્ધ થઈએ.#RepublicDay pic.twitter.com/XFWby7d3z0
ભારતમાં મર્સિડીઝ - બીએમડબલ્યુ કાર થઈ શકે છે સસ્તી
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતિમ તબક્કામાં છે. જે અંતર્ગત EUથી આયાત થતી કાર પર ટેરિફ 110 ટકાથી ઘટાડીને 40 ટકા કરવામાં આવી શકે છે. જે ભવિષ્યમાં 10 ટકા થઈ શકે છે. જેના પરિણામે ભારતમાં મર્સિડીઝ - બીએમડબલ્યુ કાર સસ્તી થઈ શકે છે.
પીએમ મોદીએ શુભકામના પાઠવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસતાક દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, તમામ દેશવાસીઓને પ્રજાસતાક દિવસની શુભકામના. ભારતની આન-બાન અને શાનનું પ્રતીક એવું આ રાષ્ટ્રીય મહાપર્વ તમામના જીવનમાં નવી ઊર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે. વિકસિત ભારતનો સંકલ્પ વધુ સુદ્રઢ થાય તેવી કામના છે.