પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઇન્ડિયન એરફોર્સ(IAF)નું એક ટ્રેઈની વિમાન તળાવમાં ક્રેશ થયું હતું, જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું. ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, વિમાનના બંને પાયલોટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનને પાણીની બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્લેન કાબુની બહાર જતું રહ્યું હતું અને તળાવના પાણીમાં ખાબક્યું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડાઇવર્સ અને ફાયર ટેન્ડરો પહોંછે એ પહેલા અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતાં.
प्रयागराज में एयरक्राफ्ट क्रैश Live वीडियो-
— Vinay Saxena (@vinaysaxenaj) January 21, 2026
पायलटों ने पैराशूट से छलांग लगाकर अपनी जान बचाई। स्थानीय लोग बने मददगार। #Prayagraj pic.twitter.com/odj7X50G8O
તળાવના પાણીમાં પડેલા નાના વિમાનના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વિમાનનો કાટમાળ વિખરાયેલો પડ્યો છે, લોકો જોવા માટે તળાવના કાંઠે એકઠા થઇ ગયા છે. તળાવના પાણી પર જળકુંભી છવાયેલી છે.
यूपी के प्रयागराज में एक बड़ा हादसा हो गया है.
— Abhinaw Tripathi (@AbhinawKTri) January 21, 2026
यहां पर ट्रेनी विमान क्रैश हो गया है. #Prayagraj #planecrash #planecrashPryagraj pic.twitter.com/7JS3gQTvsi
એરફોર્સના પ્રવક્તાના જણાવ્યા મુજબ વિમાને પ્રયાગરાજના એરફોર્સ સ્ટેશન બામરૌલીથી ટેક ઓફ કર્યું હતું, ફ્લાઈટ દરમિયાન દરમિયાન ટેકનિકલ સમસ્યા ઉભી થઈ ગઈ હતી, બપોરે 12.07 વાગ્યે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
પાઈલોટે વિમાનને પ્રયાગરાજની કેપી કોલેજ પાછળ આવેલા તળાવમાં ઉતાર્યું, સ્થાનિકો તુરંત પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. તળાવની આસપાસના વિસ્તારની નાકાબંધી કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં ચેન્નઈ ચેંગલપટ્ટુ જિલ્લામાં તાંબરમ નજીક વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું હતું, એ ઘટનામાં પણ પાયલોટને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં આવ્યો હતો..