Tue Jan 27 2026

Logo

White Logo

ગુજરાતના આ ગામમાં લોકો ઘરે ખાવાનું જ નથી બનાવતાં, આખું ગામ એક રસોડે જમે છે, મોદીએ કર્યો ઉલ્લેખ...

1 day ago
Author: Mayur Patel
Video

મહેસાણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ગુજરાતના એક ગામનો ઉલ્લેખ કર્યો હતો. આ ગામમાં લોકો ઘરે ખાવાનું જ નથી બનાવતા, આખું ગામ એક રસોડે જમે છે. 

મોદીએ “મન કી બાત”ના 130 માં એપિસોડમાં મહેસાણાના બહુચરાજીના ચાંદણકી ગામના સામૂહિક રસોડાની પરંપરાની પ્રશંસા કરી હતી. આ ગામમાં છેલ્લાં 15 વર્ષથી તમામ લોકો  માટે એક સાથે રસોઈ બનાવવામાં આવે છે અને બધા ભેગા મળીને જમે છે. તેમણે સમજાવ્યું કે આ એક એવું ગામ છે જ્યાં કોઈ પોતાના ઘરે ભોજન બનાવતું નથી. તેના બદલે દરેકનું ભોજન ગામના સામૂહિક રસોડામાં તૈયાર કરવામાં આવે છે અને દરેક સાથે જમે છે.

રાષ્ટ્રને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતના દરેક ભાગમાં આપણને કંઈક અનોખું અને અદ્ભુત જોવા મળે છે. તે આપણી સાચી શક્તિ અને આપણા સમાજનો સાચો સાર છે. તે આપણી એકતા, સહકાર અને પરંપરાઓ વિશે સત્ય ઉજાગર કરે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ચાંદણકી ગામમાં ખાસ કરીને વૃદ્ધો પોતાના ઘરમાં રસોઈ બનાવતા નથી. તે વિચિત્ર લાગે છે, પરંતુ તેનું કારણ ગામનું સામૂહિક રસોડું છે. આ રસોડામાં આખા ગામ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે અને લોકો સાથે બેસીને જમે છે. આ ફક્ત ખાવાની જગ્યા નથી, પરંતુ લોકોને જોડવાનો અને સમુદાયની ભાવનાને મજબૂત કરવાનો એક માર્ગ છે. તેમણે કહ્યું કે આ પરંપરા છેલ્લાં 15 વર્ષથી ચાલી રહી છે. અહીં બધા લોકો સાથે મળીને ભોજન બનાવે છે અને સાથે મળીને જમે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 2026 માટેના તેમના પ્રથમ મન કી બાત' સંબોધનમાં ભારતીય કુટુંબ વ્યવસ્થાના માત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) દ્વારા 2026ને "ફેમિલી પર' તરીકે જાહેર કરવાના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની પરંપરાગત કુટુંબ વ્યવસ્થા આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અભિન્ન ભાગ છે, જેને સમગ્ર વિશ્વ રસ અને આદર સાથે જોઈ રહ્યું છે. વણા દેશો ભારતના કુટુંબ માળખામાંથી પ્રેરણા લે છે અને તેને સમાજ માટે એકતા શક્તિ તરીકે જુએ છે. 

વડા પ્રધાને કહ્યું કે યુએઈના રાષ્ટ્રપતિ શોખ મોહમ્મદ ખિન સાપેદ અલ નાહવાન તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં આ પહેલ અંગે ચર્ચાઓ થઈ હ તેમને પોતાના ભાઈ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ પહેલ સામાજિક સંવાડિતા અને સમુદાય ભાવનાને મજબૂત મનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને તેમને માહિતી આપી કે યુએઈ ૨૦૨૬ને પરિવારના વર્ષ' તરીકે ઊજવી રહ્યું છે. આ પહેલનો હેતુ પરિવારોમાં પરસ્પર સમજણ, સહયોગ અને સામાજિક એકતાને પ્રોત્સણન આપવાનો છે. પીએમ મોદીએ તેને સમયની જરૂરિયાત ગણાવતા વહ્યું કે ફક્ત મજબૂત પરિવારો જ મજબૂત સમાજનો પાયો નાખે છે.