દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
યોગી સરકારનો સપાટો,આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીના 38 રૂમ તોડી પડાશે
ઉત્તર પ્રદેશના યોગી સરકાર દ્વારા સપા નેતા આઝમ ખાનની મિલકત પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે આઝમ ખાનની માલિકીની જૌહર યુનિવર્સિટીના કેટલાક ભાગોને તોડી પાડવા માટે બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવશે. જેમાં જૌહર યુનિવર્સિટીના 40 માંથી 38 ગેરકાયદે રૂમ તોડી પાડવામાં આવશે
સુરતમાં પુરના પાણીથી નુકસાની બદલ સરકારે જાહેર કર્યું પેકેજ
રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. 7500 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂપિયા 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.
આણંદમાં નશાની હાલતમાં PI ઝડપાયો
આણંદ SP ઓફિસમાં ફરજ બજાવતા PI પી.પી. વસાવા નશાની હાલતમાં ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. PI વસાવાએ દારૂના નશામાં બોરસદ વિસ્તારમાં બેફામ કાર હંકારી ઉપરાછાપરી અકસ્માતો સર્જ્યા હતા. કારની તપાસ દરમિયાન પોલીસના બૂટ, ટોપી અને ઓળખપત્ર પણ મળી આવ્યા હતા.
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા
PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મ દિવસની શુભેચ્ઠા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં અગ્રેસર છે. હું તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

સવારે 2 કલાકમાં 5 તાલુકામાં મેઘમહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે સવારે 6 થી 8 ના સમયગાળામાં રાજ્યમાં 5 તાલુકામાં મેઘમહેર થઈ છે. ગીર સોમનાથના તાલાલામાં 0.31 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયામાં 0.20 ઇંચ, સુરતના ઉમરપાડામાં 0.20 ઇંચ, જામનગરના લાલપુરમાં 0.12 ઇંચ તથા સુરતના અરેઠમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.