દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
રાજસ્થાનના નાગોરમાં બુટાટી ધામમાં 22 કરોડની દાન ચોરીના આક્ષેપ
અયોધ્યાના રામ મંદિર દાન ચોરી બાદ દેશના અન્ય રાજયોના મંદિરોમાં દાન ચોરીના આક્ષેપ થઇ રહ્યા છે. જેમાં હવે રાજસ્થાનના નાગોર જિલ્લામાં આવેલું 500 વર્ષ જૂના બુટાટી ધામમાં 22 કરોડથી વધુ દાન ચોરીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
વોટસએપ અને ટેલિગ્રામના યુઝર્સ નેમ ફીચર બાદ સરકાર સખ્ત, નવા નિયમો જાહેર કરાશે
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા એપની તમામ અપડેટ પર સતત નજર રાખી રહી છે. જેમાં કેન્દ્ર સરકારે વોટસએપ અને ટેલિગ્રામના યુઝર્સ નેમ ફીચરની નોટીસ બાદ તેમના દ્વારા અપાયેલા જવાબની તપાસ કરી રહી છે. તેમજ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ અંગે સરકાર ટૂંક સમયમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક સમાન નિયમ જાહેર કરશે.
રામ મંદિર માટે સીઇઓ પદ માટે અરજીઓ મંગાવાઇ, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ
અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ ચાલી રહી છે. તેવા સમયે રામ મંદિરના સંચાલન માટે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્ય કાર્યકારી અધિકારી( CEO)ના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચમાં ક્લાસ-વન અધિકારીએ કર્યો આપઘાત
ભરૂચમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી એક મહિના અગાઉ જ બદલી થઈ આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે ફરજ પર હાજર થયા હતા અને ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના A-12 નંબરના મકાનમાં રહેતા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી કેસમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તર-પ્રદેશ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને રામ મંદિર દાન ચોરી કેસની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પણ નોટિસ ફટકારી હતી. 20 જુલાઈએ આ મામલાની સુનાવણી થશે.
સુરેન્દ્રનગરના સાયલામાં વેલનાથ આશ્રમના મહંત પર તલવાર વડે હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર બોર્ડ પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવગિરી ઉપર એક શખ્સે તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોર ડોળિયા ગામનો હોવાનું પ્રાથમિક વિગતોમા સામે આવ્યું છે. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મહંતને તાત્કાલિક 107 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તેમની તબિયત વધુ લથડતા અને ઊંડ જખમો હોવાને કારણે તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા છે.