Fri Jun 05 2026

Logo

નાશિકમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: ગોકુલ ગીતેએ કહ્યું મારા પિતાને અપશબ્દો કહ્યા

2026-06-04 20:38:29
Author: Vipul Vaidya
Article Image

નાશિક: નાશિક વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી ઘડીઓ સુધી હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. ભાજપના બળવાખોરોએ શિવસેનાના નેતાઓને ખૂબ માથાનો દુખાવો કરાવ્યો. ગણેશ ગીતે બપોરે 2:30 વાગ્યાની આસપાસ ચૂંટણીમાંથી ખસી ગયા.

જોકે, ગોકુલ ગીતે ખસી જવાના મૂડમાં નહોતા. ગોકુલ ગીતેએ એવું વલણ અપનાવ્યું કે શિવસેના નેતાના પુત્રએ મને પિતા પર અપશબ્દો કહ્યા છે, આથી હું તેમના માટે ખસીશ નહીં. બીજી તરફ, અમે ગિરીશ મહાજનને પિતા માનીએ છીએ. અમે તેમને વચન આપ્યું છે કે અમે ખસી જઈશું, ગણેશ ગીતેએ મનાવી લીધું. છેલ્લી ઘડી સુધી ખસી જવાના પ્રયાસો ચાલુ હતા. તેથી, શિવસેનાના ઉમેદવાર નરેન્દ્ર દરાડે સામે ગોકુલ ગીતેની લડાઈ થવાની શક્યતા છે.

શિવસેના ઠાકરે જૂથમાંથી બાલ માનેની હકાલપટ્ટી

મુંબઈ: રાયગડ-રત્નાગિરિ-સિંધુદુર્ગ વિધાન પરિષદ મતવિસ્તારમાંથી મહા વિકાસ આઘાડી (શિવસેના-યુબીટી)ના સત્તાવાર ઉમેદવાર, સુરેન્દ્ર ઉર્ફે બાલ માનેએ ભાજપના પ્રધાન નિતેશ રાણેની હાજરીમાં રત્નાગિરિ જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરીને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

બાલ માનેના આ ચોંકાવનારા નિર્ણયને કારણે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંકણ વિધાન પરિષદની ચૂંટણી હવે બિનહરીફ થશે. બાલ માનેના આ નિર્ણય પછી, હવે શિવસેના ઠાકરે જૂથે તેમની સામે કડક કાર્યવાહી કરી છે અને તેમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. બાલ માનેએ ઉમેદવારી પાછી ખેંચી લેતાં અનિકેત તટકરેની બિનહરીફ ચૂંટણીનો માર્ગ મોકળો થયો.

આવી જ રીતે છત્રપતિ સંભાજીનગર-જાલનાની બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચનારા શિવસેના (યુબીટી)ના દેવયાની પાટીલ-ડોણગાંવકર અને તેના પતિ કૃષ્ણા પાટીલ-ડોણગાંવકરને પણ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જોકે, આ બેઠક પર શિવસેના (યુબીટી)ના ગણેશ લોખંડેએ ઉમેદવારી ભરી હોવાથી હવે તેઓ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર રહેશે. 


પુણેમાં પાંચ ઉમેદવારે પીછેહઠ કરતાં કાકડે બિનવિરોધ

પુણે: એનસીપીના ઉમેદવાર વિક્રમ કાકડે સામેના એનસીપી-એસપીના ઉમેદવાર શ્રીકાંત પાટીલ સહિત પાંચ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લેતાં હવે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુનેત્રા પવારે શરદ પવારને ફોન કર્યા બાદ અચાનક પડદા પાછળ હિલચાલ થઈ હતી અને શ્રીકાંત પાટીલ, સુનિલ ટીંગરે (બળવાખોર), તુષાર કામઠે, પ્રદીપ કાંડ (બળવાખોર) અને રણજિત જારેએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. 
આ ઘટનાક્રમ બાદ કૉંગ્રેસે એનસીપી-એસપી સુપ્રીમો શરદ પવાર પર વિશ્ર્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. 

પુણે જિલ્લા કૉંગ્રેસના અધ્યક્ષ પ્રશાંત જગતાપે કહ્યું હતું કે આ બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવાર આપવાની જરૂર હતી. એનસીપી-એસપી પર ભરોસો રાખીને અહીં ઉમેદવાર ન આપ્યો અને હવે શરદ પવારના વિશ્ર્વાસઘાતને કારણે એનસીપીના કાકડે બિનહરીફ ચૂંટાઈ આવશે.