મુંબઈઃ રાજ્યસભા પછી, હવે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીઓની ચર્ચા થઈ રહી છે. ઉદ્ધવ સેનામાં તેમની હકની રાજ્યસભા બેઠક છોડવા અંગે મતભેદ છે, ત્યારે હવે પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદ માટે તક આપવા માટે મેદાનમાં ઉતરવા માટેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.
13 મે, 2026ના વિધાન પરિષદની 9 બેઠક ખાલી થઈ રહી છે. ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાશે, પરંતુ તે પહેલાં જ, સત્તા માટે ગણતરીઓ શરુ છે. વ્યૂહરચનાઓ બનાવવામાં આવી રહી છે.
ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય નવ ધારાસભ્યો એક મહિના પછી નિવૃત્ત થશે. આ નવ બેઠકોમાંથી, શાસક મહાયુતિ 8 બેઠકો જીતશે તે નિશ્ચિત છે. વિપક્ષો, એટલે કે મહાવિકાસ આઘાડી પાસે એક મત છે. અલબત્ત, જો મહાયુતિ બધી નવ બેઠક પર દાવો કરે છે, તો એક બેઠક માટે ખેંચતાણ થશે. ક્રોસ વોટિંગનો ભય પણ છે.
કોંગ્રેસ અને એનસીપી રાજ્યસભામાં રસ ધરાવતા હતા. ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને ટેકો આપ્યો. તેમણે રાજ્યસભાના પોતાના અધિકારો છોડી દીધા. એનસીપી કોંગ્રેસને મનાવવામાં સફળ રહી અને શરદ પવાર મહા વિકાસ આઘાડી (એમવીએ) તરફથી રાજ્યસભામાં ચૂંટાયા.
હવે ઉદ્ધવ જૂથ માંગ કરી રહ્યું છે કે વિધાન પરિષદ માટે પણ આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે. અગાઉ સાંસદ સંજય રાઉતે માંગ કરી હતી કે શરદ પવારને રાજ્યસભામાં મોકલવામાં આવે અને વિધાન પરિષદની બેઠક શિવસેના માટે છોડી દેવામાં આવે.
કોનો પક્ષ વધુ મજબૂત છે?
અલબત્ત, મહા વિકાસ આઘાડીમાં કોંગ્રેસ પાસે 16 અને એનસીપી પાસે 10 ધારાસભ્યો છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે પાસે મહત્તમ 20 ધારાસભ્યો છે. જેમ, રાજ્યસભા હાથમાંથી ગઈ,તેમ કોંગ્રેસને વિધાન પરિષદમાં પણ કંઈ ખાસ મળે તેવી શક્યતા ઓછી છે.
29 ધારાસભ્યોના મતોથી વિધાન પરિષદનો રસ્તો સાફ થશે. રાજ્યસભાના બદલામાં એનસીપી હવે ઉદ્ધવ સેનાને ટેકો આપશે. તેથી, ઉદ્ધવ ઠાકરેનો વિધાન પરિષદમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવે છે.
મહાવિકાસ આઘાડી પાસે કુલ 17 મત છે, જેમાં કોંગ્રેસના 16 અને ઉદ્ધવ ઠાકરેનો 1 વધારાનો મત છે. જો મહાવિકાસ આઘાડી બાજી પલટે છે અને 10 મત ખેંચે છે, તો મહાવિકાસ આઘાડીના 2 ધારાસભ્યો ચૂંટાશે.
જો કે, આ શક્યતા ખૂબ જ ઓછી છે. તેનાથી વિપરીત, એવી આગાહી કરવામાં આવી રહી છે કે એકનાથ શિંદેના ધારાસભ્યોમાંથી એક ચૂંટાશે. પડદા પાછળ મોટી રમત રમાઈ રહી છે.