મુંબઈઃ મહારાષ્ટ્ર એસટી વર્કર્સ જોઈન્ટ એક્શન કમિટીએ ફરી એકવાર આંદોલનની ચીમકી આપી છે. સમિતિએ 29 જૂનથી રાજ્યભરમાં અનિશ્ચિત સમય માટે ધરણા અને 'ચક્કા જામ' (રસ્તા રોકો) કરવાની જાહેરાત કરી છે. પરિણામે, ચોમાસાની ઋતુમાં 'લાલપરી' તરીકે ઓળખાતી એસટી બસ સેવાઓ ખોરવાઈ જવાની પ્રબળ સંભાવના છે.
આજે પ્રધાન અને એસટી (રાજ્ય પરિવહન) કામદાર સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી સંયુક્ત કૃતિ સમિતિ વચ્ચે મુંબઈમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, પડતર આર્થિક બાબતો અને એસટી કામદારોના હિતોને લગતા મુદ્દાઓ અંગે ઉગ્ર આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ચોમાસુ સત્ર દરમ્યાન, 29 જૂન, 2026થી મુંબઈમાં કેન્દ્રીય કાર્યાલય તેમ જ તમામ વિભાગીય કાર્યાલયો અને કેન્દ્રીય કાર્યશાળાઓ પર અનિશ્ચિત સમય માટે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. કૃતિ સમિતિએ સરકાર પાસે એસટી કર્મચારીઓના નાણાકીય પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગણી કરી છે.
આ આંદોલન ત્રણ તબક્કામાં થશે
15 જૂન 2026- રાજ્યભરના તમામ ડેપો, વિભાગીય કચેરીઓ, વર્કશોપ અને કેન્દ્રીય કાર્યાલયમાં ઘંટનાદ અને 'મહા-આરતી' દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.
22 જૂન, 2026ના મહારાષ્ટ્રના દરેક એકમની સામે વિશાળ 'દ્વાર સભાઓ'નું આયોજન કરવામાં આવશે.
29 જૂન, 2026થી મુંબઈ સહિત રાજ્યભરના તમામ વિભાગીય કાર્યાલયો, કેન્દ્રીય કાર્યશાળાઓ અને કેન્દ્રીય કાર્યાલયો ખાતે અનિશ્ચિત સમય માટે ધરણા પ્રદર્શન યોજાશે.