મુંબઈઃ એલપીજી ગેસની અછતને પગલે, રાજ્ય સરકારે રેશનિંગ દ્વારા કેરોસીન (રોકેલ)નું વિતરણ શરૂ કર્યું છે. જો કે, મુંબઈ, થાણે, પુણે અને નાગપુર જેવા શહેરી વિસ્તારોને આ નિર્ણયમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવાથી આ શહેરોના નાગરિકોને કોઈ રાહત મળી નથી.
એક બાજુ ગ્રામીણ વિસ્તારોને કેરોસીનથી કામચલાઉ રાહત મળી રહી છે, જ્યારે શહેરી રહેવાસીઓ ગેસની અછતથી પ્રભાવિત થઈ રહ્યા છે. આનાથી શહેરોમાં વૈકલ્પિક ઇંધણનો મુદ્દો વધુ ગંભીર બની રહ્યો છે, અને કાળા બજાર વધવાની આશંકા છે.
કમર્શિયલ એલપીજી પરના પ્રતિબંધોને કારણે હોટેલ, ઢાબા અને નાના ઉદ્યોગોને વૈકલ્પિક ઇંધણ તરીકે કેરોસીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી કેરોસીનની માંગ વધવાની શક્યતા છે અને ઓછો પુરવઠો અને વધુ માંગને કારણે કાળાબજારનો ભય છે. કેટલાક સ્ટોલધારકો લાંબા સમયથી કેરોસીનનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તેમને ઊંચા દરે કેરોસીન ખરીદવું પડે છે.
ગ્રામીણ વિસ્તારોમાં સરકારી દરે કેરોસીન લગભગ 60 થી 65 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ થશે. શહેરોમાં સત્તાવાર વિતરણના અભાવે કેટલાક વ્યવસાયીઓ અને નાના હોટેલ માલિકો બ્લેક માર્કેટમાંથી કેરોસીન ખરીદી રહ્યા હોવાના અહેવાલ છે.રેશન દુકાનદારોને ફક્ત બે મહિના માટે કેરોસીનનો સંગ્રહ કરવા, તેનું વિતરણ કરવા અને તેના માટે જરૂરી સામગ્રીથી લઈને બધું જ ખરીદવું પડતું હોવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આનાથી તેમનામાં અસંતોષનું વાતાવરણ ઊભું થયું છે.
કેરોસીન સ્ટોર કરવા માટે અલગ જગ્યાની જરૂર હોવાથી દુકાનદારોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, મુંબઈગરાની સુવિધા માટે, મુંબઈમાં પણ કેરોસીનનું વિતરણ કરવાની જરૂર છે - નવીન મારુ, મુંબઈ રેશન શોપકીપર્સ એસોસિએશનને જણાવ્યું હતું.