Thu Jun 11 2026

Logo

એનડીએની બેઠકમાં એકનાથ શિંદેનું વધતું મહત્વ: મોદીના અભિનંદનનો ઠરાવ રજૂ કરવાની તક મળી

2026-06-11 19:21:03
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિલ્હીમાં યોજાયેલી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય રાજકારણમાં શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું વધતું મહત્વ અને આદરણીય સ્થાન ફરી એકવાર જોવા મળ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન તરીકે સેવા આપવાના રેકોર્ડને યાદ કરવા માટે આયોજિત એનડીએના ઘટક પક્ષોની બેઠકમાં શિંદેએ શિવસેનાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

દેશભરના 38 સાથી પક્ષોના વડાઓએ હાજરી આપેલી આ બેઠકમાં, એકનાથ શિંદેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો ઠરાવ રજૂ કરવાની તક આપવામાં આવી. આને રાજકીય વર્તુળોમાં ભાજપના નેતૃત્વ દ્વારા શિંદે પ્રત્યે દર્શાવવામાં આવેલા વિશ્ર્વાસ અને પરસ્પર આદરનું પ્રતીક માનવામાં આવે છે.મીટિંગ દરમિયાન, શિંદેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની હરોળમાં બેઠક આપવામાં આવી હતી. ઉપરાંત, એવી ચર્ચા પણ થઈ હતી કે બેઠક પછી લેવાયેલા ગ્રુપ ફોટોગ્રાફમાં અમિત શાહની બાજુમાં ઊભા રહેવાની તક મળી હોવાથી એનડીએના રાષ્ટ્રીય નેતૃત્વમાં તેમનું વધતું મહત્વ જોવા મળ્યું હતું. 

આ પ્રસંગે, એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભેટ આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું. તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા અને શિવસેનાને મોદીના નેતૃત્વ અને કેન્દ્ર સરકારના નિર્ણયોને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.શિવસેના અને ભાજપ વચ્ચેનું જોડાણ એનડીએની સ્થાપના પહેલાનું છે અને બંને પક્ષો હિન્દુત્વની વિચારધારા પર આધારિત લાંબા સમયથી સંબંધો ધરાવે છે. જોડાણ તૂટ્યા પછી, એકનાથ શિંદેના નેતૃત્વમાં રાજકીય બળવા પછી શિવસેનાએ એનડીએમાં ફરીથી સ્થાન મેળવ્યું. હાલમાં, ભાજપ પછી શિવસેનાને એનડીએમાં ત્રીજો સૌથી મોટો ઘટક પક્ષ માનવામાં આવે છે.રાજકીય નિરીક્ષકો માને છે કે દિલ્હીમાં આ બેઠકમાં એકનાથ શિંદેને આપવામાં આવેલા સન્માન અને જવાબદારીથી એનડીએમાં શિવસેનાની સ્થિતિ વધુ મજબૂત થઈ છે.