દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર
આજે શ્રાવણ માસનો બીજા સોમવાર છે. સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાત્રે ત્રણ વાગ્યાથી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા, જ્યારે વહેલી સવારે ચાર વાગ્યાથી દર્શન શરૂ થયા હતા. જય સોમનાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
અમરાવતીમાં હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગી આગ, 3 નવજાત શિશુઓના મોત
મહારાષ્ટ્રના અમરાવતીમાં આજે સવારે મહિલા હોસ્પિટલના નવજાત શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગવાથી ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ. આગમાં દાઝી જવાથી ત્રણ નવજાત શિશુઓના મોત થયાનું પ્રકાશમાં આવ્યું છે. સવારે 3:30 વાગ્યે વેન્ટિલેટરમાં અચાનક વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. વોર્ડમાં 39 નવજાત શિશુઓ હતા, જેમાંથી 36 ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણના મોત થયા હતા.