Fri Aug 28 2026

Logo

મુંબઈમાં ફેરિયાઓ અંગે BMCનો મોટો નિર્ણય: 10 જૂન સુધીમાં મળશે ID કાર્ડ, ત્યાં સુધી કાર્યવાહી નહીં

2026-06-01 20:44:48
Author: Mumbai Samachar Team
મુંબઈમાં ફેરિયાઓ અંગે BMCનો મોટો નિર્ણય: 10 જૂન સુધીમાં મળશે ID કાર્ડ, ત્યાં સુધી કાર્યવાહી નહીં

મુંબઈઃ મુંબઈમાં હજારો ફેરિયાઓ છે, જેમાંથી કેટલાક સત્તાવાર છે અને કેટલાક બિનસત્તાવાર. મુંબઈમાં ફેરિયાઓ અને તેમના મુદ્દાઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર સાથેની આ બેઠકમાં ડેપ્યુટી મેયર સંજય ઘડી અને શિવસેના નેતા સંજય નિરુપમ પણ હાજર હતા. આ બેઠક પછી આ બંને નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી અને ફેરિયાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

ફેરિયાઓ અંગેની બેઠક બાદ બોલતા ડેપ્યુટી મેયર સંજય ઘડીએ જણાવ્યું હતું કે શિવસેનાના નેતા સંજય નિરુપમે ચાર દિવસ પહેલા મુંબઈ શહેરના અધિકૃત ફેરિયાઓના મુદ્દાઓ અંગે એક બેઠકનું આયોજન કરવાની માંગ કરી હતી. 

મુંબઈમાં ફેરિયાઓનો મુદ્દો જૂનો છે, તેના પર ઘણી ચર્ચાઓ થઈ છે. ઘણી વખત કાર્યવાહી કરવામાં આવી છે અને 2014માં કાયદાની પણ જોગવાઈ કરવામાં આવી હતી.

આગળ બોલતા સંજય ઘડીએ કહ્યું કે અમારું માનવું છે કે મુંબઈમાં એક પણ અનધિકૃત ફેરિયા ન હોય. પરંતુ હાઈકોર્ટના આદેશથી, અધિકૃત ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે જયારે અનધિકૃત ફેરિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. 

જ્યાં સુધી QR કોડ અને ઓળખ કાર્ડ આપવામાં ન આવે ત્યાં સુધી કોઈની સામે કોઈ કાર્યવાહી ન થવી જોઈએ. 10 જૂન સુધીમાં ઓળખ કાર્ડ આપવામાં આવશે. ટાઉન વેન્ડિંગ કમિટીની નિમણૂક કરવામાં આવશે અને તે મુજબ વ્યવસ્થા કરવામાં આવશે.

ત્યાર બાદ, ગેરકાયદે રીતે વ્યવસાય કરતા ફેરિયા સામે કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી મેયર ઘડીએ માહિતી આપી છે કે હાલમાં કોઈપણ ફેરિયા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.