Thu Jun 11 2026

Logo

નાશિક સિંહસ્થ કુંભ મેળો: રામકુંડ ખાતે ધ્વજ સ્તંભ શિલાન્યાસ પૂજન સાથે તૈયારીઓ શરૂ

2026-06-11 19:08:03
Author: Mumbai Samachar Team
Article Image

નાશિક: સિંહસ્થ કુંભ મેળા 2027ની તૈયારીઓના ભાગરૂપે આજે નાશિકના પંચવટી વિસ્તારમાં રામકુંડ ખાતે ધ્વજ સ્તંભ શિલાન્યાસ પૂજન અથવા ધ્વજસ્તંભ શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ સમારોહનું આયોજન ગંગા ગોદાવરી પંચકોઠી (તીર્થ) પુરોહિત સંઘ, નાશિક દ્વારા કરવામાં આવ્યું હતું.

ગોદાવરી મંદિર પર સ્થાપિત થનારા ૩૧ ફૂટ ઊંચા ધ્વજદંડ અને સિંહસ્થ કુંભ મેળાના ૫૧ ફૂટ ઊંચા થાંભલાનું પૂજન રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના કુંભ મેળા પ્રધાન ગિરીશ મહાજન હાજર રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા મહાજને જણવ્યું હતું કે 'આવતા વર્ષે નાશિક -ત્ર્યંબકેશ્વરમાં સિંહસ્થ કુંભ મેળો યોજાશે અને ૧૨ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અહીં આવે તેવી અપેક્ષા છે. આ મહા ધાર્મિક મંડળના સફળ સંચાલનની જવાબદારી ફક્ત સરકાર અને વહીવટીતંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિકની પણ છે. દરેક નાશિકવાસી સ્વયંસેવક બને અને મુલાકાતી શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે પહેલ કરે. 

રસ્તા, મૂળભૂત માળખાકીય સુવિધાઓ, પરિવહન, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ સહિત રૂ. 35 હજાર  કરોડના વિવિધ વિકાસ કાર્યો હાલમાં ચાલી રહ્યા છે અને નાશિકમાં  મોટા પાયે પરિવર્તન આવશે. 

કુંભ મેળાની સફળતા માટે સાધુ-મહંતો, અખાડા, જનપ્રતિનિધિઓ, વહીવટ, પોલીસ તંત્ર અને નાગરિકોનું યોગદાન જરૂરી છે અને દરેકે તે લક્ષ્ય તરફ સાથે મળીને કામ કરવું જોઈએ.' 
(પીટીઆઈ)