મુંબઈ; મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશ (એમએસઆરટીસી)એ ગણેશોત્સવ માટે બસોના ગ્રૂપ બુકિંગ પર વસૂલવામાં આવતો ૩૦ ટકા વધારાનો ચાર્જ રદ કર્યો છે, જેનાથી કોંકણ જઈ રહેલા હજારો ભક્તોને મોટી રાહત મળશે, તેમ પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.
સરનાઈકે જણાવ્યું કે દરિયાકાંઠાના કોંકણ વિસ્તારના લોકો અને ગણેશોત્સવ મંડળો દ્વારા સરચાર્જ પાછો ખેંચવાની માંગ કરવામાં આવ્યા બાદ નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની સૂચના મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તહેવાર દરમિયાન દર વર્ષે મુખ્યત્વે મુંબઈ, થાણે અને પાલઘરથી પોતાના વતન જઈ રહેલા લોકો દ્વારા ગ્રૂપ બુકિંગ મારફતે લગભગ ૫,૦૦૦ એમએસઆરટીસી બસો રિઝર્વ કરવામાં આવે છે.
🗓️ २० ऑगस्ट २०२६ l 📍 मुंबई
— Pratap Baburao Sarnaik (@PratapSarnaik) August 21, 2026
उपमुख्यमंत्री मा. ना. एकनाथ शिंदे साहेबांच्या निर्देशानुसार यंदा गणेशोत्सवासाठी कोकणात जाणाऱ्या कोकणवासीयांसाठी एसटीच्या एकेरी गट आरक्षणावर आकारण्यात येणारे ३० टक्के अतिरिक्त शुल्क रद्द करण्याचा निर्णय एसटी महामंडळाने घेतला आहे.
गणपती उत्सव,… pic.twitter.com/hcI0pW6jHs
મુસાફરોને ઉતાર્યા પછી બસોને ખાલી પરત ફરવું પડતું હોવાથી, તેમજ વધુ ઈંધણ અને ઓવરટાઇમના ખર્ચ ઉપરાંત કોર્પોરેશન દ્વારા થતા વધારાના ખર્ચને સરભર કરવા માટે અગાઉ આ સરચાર્જ લાદવામાં આવ્યો હતો.
સરચાર્જ પાછો ખેંચવા અંગેનું સત્તાવાર પરિપત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, તેમ સરનાઈકે જણાવ્યું હતું. તેમણે અન્ય રૂટો પર પેસેન્જર ટ્રાફિક વધારીને આ વધારાના નાણાકીય બોજની ભરપાઈ કરવા માટે એમએસઆરટીસી વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો.