મુંબઈ: આ વર્ષે જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના મેળઘાટમાં કેદમાંથી મુક્ત કરવામાં આવેલા એક ભારતીય ગીધે જાણીને આશ્ચર્ય થાય એટલું 3 હજાર 334 કિમીનું અંતર કાપી વિવિધ રાજ્યોમાં ગગનવિહાર કરી રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વ સુધી પહોંચ્યું હોવાનું વન્યજીવન નિષ્ણાતોએ જણાવ્યું હતું.
બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ડિરેક્ટર કિશોર રિઠેએ જણાવ્યું હતું કે પક્ષી જંગલમાં કોઈપણ પૂરક ખોરાક વિના જીવિત રહ્યું. આ બાબત બંદીવાન ગીધની કુદરતી વાતાવરણમાં અનુકૂળ થવાની, સ્વતંત્ર રીતે ખોરાક શોધવાની અને લાંબું અંતર ઉડવાની ક્ષમતા દર્શાવે છે.
આ સિદ્ધિ ગીધ સંરક્ષણ કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતમાં ગીધની સંખ્યાને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે બંધક-ઉછેર અને ત્યારબાદ છોડવાની પહેલની સંભાવના વ્યક્ત કરે છે.
વ્યાપક સફર દરમિયાન પક્ષીએ મંગળવારે રણથંભોર વાઘ અભયારણ્ય પહોંચતા પહેલા પચમઢી નજીક સાતપુડા વાઘ અભયારણ્ય અને મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લીધી હતી.
(પીટીઆઈ)