Wed May 06 2026

Logo

આરોગ્ય પ્લસઃ સાઇનસ ઇન્ફેક્શન એટલે શું?

2026-05-05 08:54:45
Author: સંકલન: સ્મૃતિ શાહ મહેતા
Article Image

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

સાઇનસનાં લક્ષણ

* ઘાટું (Dark), પીળું, લીલું, ઘેરું, જાડું પ્રવાહી નાકમાંથી પડે.

* નાક પર સોજો આવવો, રૂંધાઇ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી.

* નાક તથા નાકની આજુબાજુના ગાલ પર તથા નેણની આજુબાજુમાં દુ:ખાવો થવો અને ત્યાં અડવાથી વધારે દુ:ખાવો થવો.

* સૂંઘવાની તથા સ્વાદની ક્ષમતા ઓછી થવી.

* જડબું, દાંત અને કાનમાં દુ:ખાવો થવો.

* ઉધરસ આવવી તથા ગળામાં દુ:ખાવો થવો.

* શરીરમાં થાકનો અનુભવ થવો.

* મોંમાંથી વાસ અને ઉબકા આવે.

  આનાં કારણ

* બેકટેરિયન અને વાઇરલ ઇન્ફેકશનના કારણે.

* એલર્જીના કારણે.

* ઠંડા વાતાવરણની અસરને કારણે.

* નાક-કાનમાં ઇજા થવાથી, તેમાં કાંઇ ખોટ હોવાથી.

 સાઇનસમાં આહાર સંબંધી વિવેક :

*શક્ય હોય તો 1થી 2 ઉપવાસ કરવા.

*વિટામિન-સી વાળો ખોરાક વધુ પ્રમાણમાં લેવો, જેમ કે, મોસંબી, નારંગી, ટમેટાં વગેરે.

*સૂંઠ, મરી, લાલ મરચું, આદું તથા સૂરણ આહારમાં ખાસ લેવાં.

*કાચાં શાકભાજી તથા અનાનસ લેવાં.

*ઉકાળેલું સૂંઠવાળું પ્રવાહી વધુ માત્રામાં લેવું.

*જે વસ્તુની એલર્જી હોય, તે વસ્તુનો ત્યાગ કરવો.

*બને ત્યાં સુધી નીચેની વસ્તુનો ત્યાગ રાખવો. મેંદો, ગળ્યા પદાર્થો, ખાંડયુક્ત જયૂસ, સોડા, અથાણાં, ધૂમ્રપાન, નશીલા પદાર્થ વગેરે.

સાવધાની...

* સાઇનસ 90 ટકા વાયરલ ઇન્ફેકશનના કારણે થતું હોય છે. આથી આ બીમારી દવા વિના પોતાની રીતે જ મટી શકે છે, પરંતુ 10 ટકા વાઇરલમાંથી બેકટેરિયલ થવાની સંભાવના રહેલી છે.

અહીં દર્શાવેલી પરિસ્થિતિ સર્જાય તો ચિકિત્સક પાસે જઇ યોગ્ય સારવાર લેવી, જેમકે...
શરૂઆતના બે-ત્રણ દિવસમાં જ સાઇનસનાં લક્ષણોની સાથે જો તાવ વધારે પડે ત્યારે અને એ દસ દિવસથી વધારે લાંબું ચાલે અને જો સારું થઇ ગયા પછી ફરીથી તરત જ થાય ત્યારે સાઇનસના ઉપચારો:

 1 ટમલર ગરમ પાણીમાં નીલગિરિના તેલનાં થોડાં ટીપાં નાખી નાસ લેવો. આ રીતે દિવસમાં 2-3 વાર કરવું.

નેતિ ક્રિયા કરવી

*1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મીઠું નાખી થોડું ગરમ કરવું. અને તે પાણી 1 નસકોરામાં ધીરે ધીરે રેડવું  અને તે બીજા નસકોરામાંથી નીકળી જાય તેવી રીતે માથું ત્રાંસું રાખવું. આ ક્રિયા દિવસમાં 2-3 વાર કરવી.

*1 ચમચી લાલ મરચું અને 1 ચમચી મધ દિવસમાં 3-4 વાર લેવું.

*1 ગ્લાસ પાણીમાં 2 ચમચી વિનેગર તથા 1 ચમચી મધ નાખી દિવસમાં 3 વાર પીવું.

*1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મેથી નાખી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું, અને હૂંફાળું થાય ત્યારે ધીરે-ધીરે પીવું. આમ દિવસમાં 3 વાર કરવું.

*1 ગ્લાસ પાણીમાં 10 ગ્રામ આદુંના ટુકડા નાખી ઉકાળવું. ત્યારબાદ નીચે ઉતારી તેમાં 2 ચમચી મધ નાખી ધીરે-ધીરે પીવું. દિવસમાં 3 વાર આ પ્રક્રિયા કરવી.

*1 ચમચી સરસવના દાણા 1 ગ્લાસ પાણીમાં નાખી, અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ તેને ઠંડું કરી ગાળી લેવું અને તેના 3-4 ટીપાં બંને નસકોરામાં નાખવાં.