Mon Aug 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:17 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-17 08:23:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-17 12:19:29

સવારથી બપોર સુધીમાં રાજ્યના એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નહીં

રાજ્યમાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી. પારડીમાં સૌથી વધુ 0.94 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉમરપાડામાં 0.71 ઇંચ, બારડોલીમાં 0.67 ઇંચ, ખેરગામમાં 0.55 ઇંચ, ધરમપુરમાં 0.51 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-08-17 10:58:02

દક્ષિણ ગુજરાતમાં ઝરમર વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સુરતના બારડોલીમાં 0.47 ઇંચ, ઉમરપાડામાં 0.39 ઇંચ, નાનાપોંઢામાં 0.35 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-08-17 10:05:12

શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં 462 રનમાં ઓલઆઉટ

ભારત અને શ્રીલંકા વચ્ચે ગૉલમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ભારત પ્રથમ ઈનિંગમાં 462 રનમાં ઓલઆઉટ થયું હતું. પડિક્કલે સર્વાધિક 167 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી જયસૂર્યાએ 109 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

2026-08-17 08:26:58

લખીસરાયમાં અશોક ધામ મંદિર સંકુલમાં ભાગદોડ, સાત લોકોના મોત

લખીસરાય: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેમાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા અશોક ધામ મંદિર પાસે ભાગદોડ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્રીજા સોમવારે લખીસરાય જિલ્લામાં અશોક ધામ મંદિર સંકુલ પાસે થયેલી ભાગદોડમાં સાત શ્રદ્ધાળુઓના મોત અને ડઝનબંધ ઘાયલ થવાની આશંકા છે. આ શુભ દિવસે ભગવાન શિવને જલાભિષેક કરવા માટે ભક્તો મંદિરમાં એકઠા થયા હતાં. સાત મૃતકોમાં મોટાભાગે મહિલાઓ સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ટ

2026-08-17 08:24:45

શ્રાવણના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ સહિત રાજ્યભરમાં આવેલા તમામ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તમામ નાના-મોટા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.