દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
સવારથી બપોર સુધીમાં રાજ્યના એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નહીં
રાજ્યમાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી. પારડીમાં સૌથી વધુ 0.94 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉમરપાડામાં 0.71 ઇંચ, બારડોલીમાં 0.67 ઇંચ, ખેરગામમાં 0.55 ઇંચ, ધરમપુરમાં 0.51 ઇંચ વરસાદ પડ્યો હતો.
લખીસરાયમાં અશોક ધામ મંદિર સંકુલમાં ભાગદોડ, સાત લોકોના મોત
લખીસરાય: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેમાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા અશોક ધામ મંદિર પાસે ભાગદોડ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્રીજા સોમવારે લખીસરાય જિલ્લામાં અશોક ધામ મંદિર સંકુલ પાસે થયેલી ભાગદોડમાં સાત શ્રદ્ધાળુઓના મોત અને ડઝનબંધ ઘાયલ થવાની આશંકા છે. આ શુભ દિવસે ભગવાન શિવને જલાભિષેક કરવા માટે ભક્તો મંદિરમાં એકઠા થયા હતાં. સાત મૃતકોમાં મોટાભાગે મહિલાઓ સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ટ