પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ અમેરિકામાં ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન સૌને ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના પાઠવી. અમેરિકામાં સમયના તફાવતને કારણે તારીખ બદલાઈ ગઈ હોવા છતાં, તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 15મી ઓગસ્ટની ભાવના આપણા હૃદયમાં હંમેશા અકબંધ રહે છે.
બાપુએ રાષ્ટ્રધ્વજનું સન્માન કરતી વખતે ઔપચારિક પ્રોટોકોલ અને આધ્યાત્મિક શ્રદ્ધા વચ્ચેનો એક અત્યંત માર્મિક તફાવત સ્પષ્ટ કર્યો. તેમણે કહ્યું કે દુનિયાભરના ધ્વજને સલામી આપવી એ એક આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે જે નિભાવવો જોઈએ, પરંતુ ભારતીય તિરંગા પ્રત્યે આપણી એક વિશેષ અને અદ્વિતીય ભક્તિ છે. બાપુએ કહ્યું કે આપણે અન્ય દેશોના ધ્વજને 'સલામ' કરીએ છીએ, પરંતુ આપણા ભારતના ધ્વજને હૃદયથી 'પ્રણામ' કરીએ છીએ.
