દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
હોર્મુઝમાં એસ્કોર્ટ આપવા મુદ્દે અમેરિકાએ હાથ ઊંચા કર્યા
ઈરાનની સેનાને અમેરિકન નૌકાદળે પડકાર ફેંક્યો હતો કે તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થનારા જહાજોને એસ્કોર્ટ કરશે, પરંતુ હવે અમેરિકન ઊર્જા પ્રધાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે વર્તમાન તબક્કે જોખમો વધારે છે, તેથી નેવી દ્વારા સુરક્ષા આપવાનું સંભવ નથી.
દેશમાં ઇંધણની અછત નહીંઃ પેટ્રોલિયમ પ્રધાન
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણની અછત ઊભી થવાની સાથે ભારત પર અસર થઈ હોવાના રિપોર્ટ અંગે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 20 ટકા અવરજવર પર અસર થઈ છે પણ દેશમાં પર્યાપ્ત ગેસ છે. ગેસ સિલિન્ડરના લઈ પેનિક થવાની જરુરિતાય નથી, એમ તેમણે જણાવ્યું.
ગેસ સપ્લાય માટે ગુજરાત સરકારે કમિટી બનાવી
રાજ્યમાં વિવિધ ઉદ્યોગો ગેસ પુરવઠાની અછત અનુભવી રહ્યા છે અને અછતને લીધે પ્રોડક્શન પર અસર થઈ છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં ઘેરલું ગેસ સિલિન્ડરની (એલએનજી)ની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે એક કમિટી બનાવી છે. ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં આ કમિટી ઘેરલું ગેસનો પૂરતો પુરવઠો મળી રહે તેની તકેદારી રાખશે.
ઈરાની હુમલામાં ભારતીય ક્રૂનું મોત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુએસ-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની માઠી અસર હવે ભારતીય દરિયાઈ કામદારો પર પડી રહી છે. ઇરાકે બસરા નજીક અમેરિકી માલિકીના ઓઇલ ટેન્કર પર કરેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈરાને આ હુમલાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું છે કે તેમણે અન્ડરવોટર ડ્રોન દ્વારા બે તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા.
રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાના આરોપસર હાર્દિક પંડ્યા સામે ફરિયાદ
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીત બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાના આરોપ સર ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ પુણેના એક વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ લગાવવામાં આવ્યો કે પંડ્યાએ શરીર પર ત્રિરંગો લપેટ્યો હતો અને જમીન સુઈને અશ્લીલ વર્તન કર્યું હતું.
વડા પ્રધાન દેશને ગભરાવાની ના પાડે છે, પણ પોતે ગભરાયેલા છે: રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી. પરંતુ વડા પ્રધાન પોતે તદ્દન અલગ કારણોસર ગભરાયેલા છે. તેઓ અદાણી કેસ અને એપ્સટીન મામલે ગભરાયેલા છે. તેઓ ગૃહની અંદર આવી શકતા નથી. તેઓ દેશને ગભરાવાની ના પાડી રહ્યા છે, તેઓ પોતે ગભરાયેલા છે.