અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં ગયા અઠવાડિયે ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તમાં અને ધાર્મિક ઉજવણીમાં ભાગ લેશે.
૪ સપ્ટેમ્બરના રોજ, અમિત શાહ અમદાવાદમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીમાં હાજરી આપશે. તેઓ વસ્ત્રાપુરમાં કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.
આ ઉપરાંત, કેન્દ્રીય સાબરમતી રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપશે. તેઓ દેશની પ્રથમ એલએનજી-ડીઝલ ડ્યુઅલ-ફ્યુઅલ ડેમૂ ટ્રેનના લોન્ચ કાર્યક્રમમાં પણ હાજરી આપશે, જે સાબરમતી રેલ્વે સ્ટેશનથી કાર્યરત થવાની છે. આ સાથે અન્ય લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.