અનવર વલિયાણી
એક વેળા અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સિગરામમાં બેસીને ઘરભણી જઈ રહ્યા હતા. રસ્તામાં એક હબસીએ હેટ ઉતારી તેમનું અભિવાદન કર્યું. લિંકને પણ સામે હેટ ઉતારી અભિવાદનનો ઉત્તર આપ્યો.
- બાજુમાં બેઠેલા એક ગોરા મિત્રને આ વાત રુચિ નહીં.
* તેણે લિંકન સાહેબને કહ્યું: આવા કાળા હબસીને માટે તમે કેમ હેટ ઉતારો છો?
* સહેજ હસી અબ્રાહમ લિંકને કહ્યું: કોઈ પણ વ્યક્તિ મારા કરતાં વધુ નમ્ર-નિખાલસ હોય તે હું કેમ સહન કરી શકું?’
- નિખાલસ દિલ વિનાનો માનવ
* પ્રકાશ વિનાના પ્રદિપ જેવો,
* સૂર વિનાના સંગીત જેવો,
* છાયા વિનાના વૃક્ષ જેવો,
* ઠંડક વિનાના હિમાંશુ જેવો,
* નીર વિનાના નદી જેવો,
* મૂર્તિ વિનાના મંદિર જેવો હોય છે.
- મુખનો મીઠો નહીં પણ મનનો મીઠો માનવ જ સન્માનને યોગ્ય છે.
- નિખાલસતા કે હૃદયની સરળતાના અભાવે ઈન્સાન
* દંભી,
* કપટી,
* ક્રોધી,
* અભિમાની બને છે.
- જ્યાં સરળતાં ત્યાં જ ધર્મ, ધર્મો માણસના ચરણે શ્રીમંતો અને ધીમન્તો પણ શિશ ઝૂકાવે છે.
- સુખ અને શાંતિ અને પ્રગતિના-તરક્કીના સાચા દિદાર-દર્શન પણ એજ પામી શકે છે.
- જીવનમાં
* ડોળ,
* દેખાવ,
* દંભ ભર્યો હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું હૃદય સ્વચ્છ કે સાફ થતું નથી.
- હૃદયની શુદ્ધિ વિના મનુષ્ય
* ઘર - કુટુંબ - કૌટુંબિક સમાજમાં આદરણીય બની શકતો નથી.
-જે સ્વયંનો સ્વામી છે તે જ મહાન સમ્રાટ હોવાની હકીકતને વાચા આપતો આ પ્રસંગ પણ બોધમાં વધારો કરનારો બની રહેવા પામશે.
- એક સમ્રાટ હતો.
- એક સાંજે એક વૃદ્ધનો તેને ધક્કો લાગ્યો.
- રસ્તો સાંકડો હતો, સાંજનો અંધકાર પણ હતો.
- સમ્રાટ ગુસ્સે થયો અને વૃદ્ધને તુુમાખી રીતે પૂછ્યું: ‘આપ કોણ છો?’
વૃદ્ધે હળવેથી જવાબ આપ્યો: ‘એક સમ્રાટ!’
- ‘સમ્રાટ!’ સમ્રાટને આશ્ચર્ય થયું અને પછી મજાકમાં પૂછ્યું? ‘કયા દેશ પર તમે રાજ ચલાવો છો?’
- વૃદ્ધે કહ્યું: ‘સ્વયં પર! મારા મન અને મારા ભીતર ઉપર મારું રાજ્ય છે!’
- વાત કેટલી સાચી છે.
- જે સ્વયંનો સ્વામી છે તે જ મહાન સમ્રાટ છે.
બોધ:
* જેની પાસે સદ્વર્તન હશે એ મોટા સામ્રાજ્યને પાર દોરી શકશે.
* સદ્વર્તન હરેક સ્થળે વિજયી થાય જ છે. પણ એની શરત એટલી કે એ સદ્વર્તન હૃદયની સાચી ઊંડી ગુહામાંથી આવનારો પદાર્થ જોઈએ, લોકલજ્જાની માટે ધારણ કરેલો વેષ નહીં!
અમૃતબિંદુ:
* જેઓ મધ્યમસર સુખ અને સ્વતંત્રતા ભોગવે છે અને વખતસર પોતાના કર્તવ્ય પર સહેલાઈથી પાછા થઈ જાય છે એ ઉત્તમ સમજવા.
* કર્તવ્યનો ભંગ થતો ન હોય એવી રીતે સુખ ભોગવવામાં કંઈ ખોટું નથી. એટલું જ નહીં પણ એવી જાતનું સુખ ભોગવવું એ માણસની ફરજ છે કારણ કે સુખના રસથી પુષ્પ ખીલે એમ જીવન ખીલે છે.