મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા' બહાર મળી આવેલા વિસ્ફોટકો અને ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના કેસમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવાનો હાઈ કોર્ટે પણ ઇનકાર કરી દીધો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) કાયદા હેઠળ રચાયેલી ખાસ અદાલતે શર્માની મુક્તિ માટેની અરજી ફગાવી દીધા બાદ તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે વિગતવાર સુનાવણી કર્યા પછી શર્માની મુક્તિ માટેની અરજી ફગાવી દીધી હતી.
શર્માએ નિર્દોષ છૂટકારો મેળવવાની માંગ કરતી વખતે દાવો કર્યો હતો કે વાહનમાં જિલેટીન સ્ટીક રાખવાના કથિત ગુનાઓ સાથે તેમને જોડવા માટે કોઈ પુરાવા નથી.
એનઆઇએએ આરોપ લગાવ્યો હતો કે શર્મા એન્ટિલિયા નજીક વિસ્ફોટકો મૂકવાના કાવતરામાં અને હિરેનની હત્યાના કાવતરામાં સામેલ હતો. શર્માની જૂન ૨૦૨૧ માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર હત્યા, ગુનાહિત કાવતરું, અપહરણ, પુરાવાનો નાશ કરવા અને યુએપીએ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.