(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સમતાનગર, કાંદિવલી (પૂર્વ)માં મધ્યમ આવક જૂથ માટેના પુન:વિકાસ પ્રોજેક્ટનું કામ પહેલી એપ્રિલ, 2026થી ફરી શરૂ થઈ રહ્યું છે. આ કાર્યની પ્રગતિની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવશે. જો આ કાર્યમાં કોઈ વિલંબ થશે તો ડેવલપર સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ રાજ્યના પ્રધાન શંભુરાજ દેસાઈએ વિધાન પરિષદને જણાવ્યું હતું.
સભ્ય શ્રીકાંત ભારતીયે વિધાન પરિષદમાં ઉઠાવેલા સવાલનો જવાબ આપતાં શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે સમતાનગરમાં પ્રોજેક્ટ અંગે રાજ્યકક્ષાના પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ પ્રોજેક્ટમાં ખાલી કરાયેલા 318 ફ્લેટધારકોમાંથી 310 લોકોનું ભાડું માર્ચ 2026 સુધી ચૂકવી દેવામાં આવ્યું છે અને બાકીના આઠ લોકોનું ભાડું ચૂકવવાનો આદેશ આપવામાં આવશે. ઉપરાંત, વાર્ષિક ભાડાની અગાઉથી ચુકવણીની જાણ કરવામાં આવશે.
દેસાઈએ એમ પણ કહ્યું કે ભાડૂઆતોને ભાડા અંગે કોઈ ફરિયાદ ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સત્ર પછી, આ સંદર્ભમાં ફરીથી તમામ હિતધારકોની બેઠક યોજાશે. તેમણે એમ પણ કહ્યું કે આ બેઠકમાં જનપ્રતિનિધિઓ, મ્હાડાના અધિકારીઓ, ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ભાડૂઆતોના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવશે.