મિતા બાવીસી
ગળું
*ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
*પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે.
*મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી અને ગળાની બળતા મટે છે.
*ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.
*બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાની મોંની ચાંદી મટે છે.
*ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.
*ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
*ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
*પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોત તો ખૂલશે.
*રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
*બોરડીની છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો તો ખૂલશે.
*દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કતરા પડી ગયા હોય તો મટશે.
*લવિંગને જરા શેકી મોંમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
*ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
*સાકરની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
*કંઠમાળ પર જવના લોટમાં કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.
*કાંદાનું કચુંબર, જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની ખરેટી, બાઝતી નથી.
*તાજી મોળી છાશ પીવાથી મોંનાં ચાંદાં મટે છે.
*તુલસીનાં પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.
*કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો કોઈ પણ પ્રકારનો દુખાવો મટે છે.