Thu Jun 18 2026

Logo

બેંગ્લૂરુની પોલીસ શનિવારની પ્રથમ આઈપીએલ-મૅચ બાદ કેમ પરેશાન છે?

2026-03-30 15:43:00
Author: Devayat Khatana
Article Image

બેંગ્લૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી (M. CHINNASWAMI) સ્ટેડિયમમાં શનિવારે આઇપીએલની નવી સીઝનની શરૂઆતમાં ગયા વર્ષની નાસભાગની ઘટનાનાં 11 ક્રિકેટ પ્રેમીઓને અંજલિ આપ્યા બાદ બેંગ્લૂરુ અને હૈદરાબાદ વચ્ચે મૅચ રમાઈ જેમાં યજમાન બેંગ્લૂરુએ શાનદાર વિજય મેળવ્યો, પરંતુ આ મૅચ માટે કડક સલામતી વ્યવસ્થા પૂરી પાડવા છતાં પોલીસ એક વાતે પરેશાન હતી.

વાત એવી છે કે એ દિવસે હજારો પ્રેક્ષકોની વચ્ચે ઘણા લોકોના મોબાઈલ (mobile) ચોરાઈ ગયા હતા. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ ફોન ચોરોની એક ગેંગ હતી જેણે સ્ટેડિયમમાં અલગ અલગ સ્થળે ગોઠવાઈને ઘણા લોકોના ફોન ચોરી લીધા હતા.

બેંગ્લૂરુના ક્યૂબન પાર્ક પોલીસ સ્ટેશનમાં આઠ જણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મૅચ દરમ્યાન તેમના મોબાઈલ ચોરાઈ ગયા હતા.
 

અન્ય એક અખબારના અહેવાલ મુજબ એ દિવસે સ્ટેડિયમમાં કુલ 12 જણના મોબાઈલની ચોરી થઈ હતી. જોકે અન્ય અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કદાચ ગિરદીમાં બે-ત્રણ જણના ફોન ખિસ્સામાંથી પડી ગયા હશે. મોટાભાગની ફરિયાદ ત્રણ નંબરના ગેટની આસપાસની હતી અને પોલીસ સીસીટીવી કૅમેરાની મદદથી તપાસ કરી રહી છે.