નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને રોકડું પરખાવી દીધું છે. પોતાના સંબોધનમાં તેમણે દેશની સુરક્ષા વ્યવસ્થા, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ પોલિસી, હિન્દ મહાસાગરમાં ભારતીય સૈનાની હાજરી અને સૈન્ય ક્ષેત્રે થનારા કેટલાક મોટા ઉત્પાદન પર મહત્ત્વની ચોખવટ કરી હતી. આ ઉપરાંત તેમણે ઑપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને ભારતની શક્તિનો પરચો આપ્યો હતો. પોતાની વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, ભારત ઝડપથી એક વિશ્વસનીય વૈશ્વિક સુરક્ષા ભાગીદાર તરીકે ઊભરી રહ્યો છે અને હિંદ મહાસાગરથી લઈને હિંદ-પ્રશાંત સુધી તેની વ્યૂહાત્મક હાજરીનો વિસ્તાર કરી રહ્યું છે.
ભારતનું વલણ સ્પષ્ટ છે
એક કાર્યક્રમમાં પાકિસ્તાનને મજબૂત સંદેશ આપતાં સિંહે જણાવ્યું હતું કે નવી દિલ્હીએ આતંકવાદ પર પોતાનું વલણ વિશ્વ સમક્ષ સ્પષ્ટપણે રજૂ કર્યું છે, આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સ પોલિસી અભિગમ ફક્ત એક નિવેદન નથી, પરંતુ કાર્યવાહીની નીતિ છે. આતંકવાદ સામે ફક્ત તેના દરવાજા પર જ નહીં, પરંતુ તેના ઘરમાં પ્રવેશીને પણ કાર્યવાહી હજુ પણ કરીશું.'ઓપરેશન સિંદૂર' દરમિયાન આખી દુનિયાએ આ જોયું છે. સંરક્ષણ મંત્રીએ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનેલા સંરક્ષણ ઉત્પાદનો લગભગ 100 દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે, દેશના સંરક્ષણ ઉત્પાદનનું કુલ મૂલ્ય વાર્ષિક આશરે ₹1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.
'ऑपरेशन सिंदूर' केवल भारतीय सेनाओं के अदम्य शौर्य का ही नहीं, बल्कि बेहतरीन तैयारी, आधुनिक तकनीक और स्वदेशी रक्षा प्रणालियों की ताक़त का प्रमाण है। इस ऑपरेशन ने यह सिद्ध किया कि हमारी सेनाएँ हर चुनौती का सामना करने के लिए Up to Date और Up to Mark हैं। pic.twitter.com/n7gXtWQglP
— Rajnath Singh (@rajnathsingh) July 18, 2026
વિશ્વસનીય સુરક્ષાની દ્રષ્ટિએ ભાગીદાર
'ઓપરેશન સિંદૂર' ની સફળતા ભારતના ઉદ્યોગોમાં મૂકેલા વિશ્વાસનો પુરાવો છે. મોદી સરકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવવા માટે લેવામાં આવેલ "સૌથી મોટું પગલું" સંરક્ષણ ઔદ્યોગિક પરિદૃશ્યમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનું છે.ભારતના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવાનું અમારું વિઝન ભારતની ક્ષમતાઓમાં વિશ્વાસમાં મૂળ છે. તેનાથી વિપરીત, અગાઉની સરકારોનો અભિગમ ભારતની ક્ષમતા અને યોગ્યતા અંગે કંઈક અંશે શંકાસ્પદ હતો. કદાચ તેમને ભારતની ક્ષમતાઓમાં એટલો વિશ્વાસ નહોતો જેટલો આપણી સરકાર ધરાવે છે.ભારત ફક્ત પોતાના માટે સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરી રહ્યું નથી, પરંતુ વિશ્વ માટે એક વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર તરીકે પણ ઊભરી રહ્યું છે.
આત્મનિર્ભરતાને વેગ મળ્યો
હિંદ મહાસાગરથી લઈને ઈન્ડો-પેસિફિક સુધી, ભારતની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે. દેશ 2029 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં ₹3 લાખ કરોડના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સારી સ્થિતિમાં છે.જો કોઈ દેશ શસ્ત્રો, દારૂગોળો, નેવિગેશન સિસ્ટમ્સ, મિસાઇલો, રડાર અને ડ્રોન માટે અન્ય રાષ્ટ્રો પર આધાર રાખે છે, તો તેની વ્યૂહાત્મક અને લશ્કરી સ્વાયત્તતા મર્યાદિત થઈ જાય છે. અમે આને સંપૂર્ણપણે બદલવા માટે દ્રઢ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ.ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે સૈન્યમાં આવેલા કેટલાક મોટા પરિવર્તનનો ઉલ્લેખ કરીને રાજનાથ સિંહે સૈન્યની શક્તિને શબ્દોમાં વર્ણવી હતી. બીજી તરફ દેશના જ કેટલાક ઉદ્યોગો સૈન્ય ક્ષેત્રે સક્રિય થતા સૈન્યને હવે હથિયાર માટે અન્ય દેશ પર રાખવો પડતો આધાર ધીમે ધીમે ઘટી રહ્યો છે. જે આત્મનિર્ભર ભારતના સૂત્રને વેગ આપી રહ્યો છે. આ કારણે એક અલગ ઈન્ડસ્ટ્રીનું નિર્માણ થયું અને એમાં પ્રગતિ થઈ રહી છે.