(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ભારતની ભાવિ ઊર્જા સુરક્ષા માટે પરમાણુ ઊર્જા આવશ્યક છે કારણ કે સૌર અને પવન ઊર્જા જેવા નવીનીકરણીય સ્ત્રોતો ચોવીસ કલાક વિશ્ર્વસનીય રીતે ઉપલબ્ધ નથી.‘ભારતમાં પરમાણુ ઊર્જા વિસ્તરણના આગામી તબક્કાનું નેતૃત્વ મહારાષ્ટ્ર કરશે,’ ફડણવીસે ટેકમહાઇમ્પેક્ટ સીએસઆર કોન્ક્લેવમાં હાજરી આપ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે ઘણા વિકસિત દેશો પરમાણુ ઊર્જા પર વધુને વધુ નિર્ભર થઈ રહ્યા છે અને અમેરિકામાં લગભગ 49 ટકા વીજળી ઉત્પાદન પરમાણુ સ્ત્રોતોમાંથી આવે છે.‘ભારતની ઊર્જા જરૂરિયાત ઝડપથી વધી રહી છે. સૌર અને પવન જેવા નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતો વીજળી પૂરી પાડે છે, પરંતુ તે 247 વિશ્ર્વસનીય રીતે ઉપલબ્ધ નથી. તેથી, ભારતને બેઝ-લોડ પાવર માટે પરમાણુ ઊર્જાની જરૂર છે,’ એમ તેમણે કહ્યું હતું.
🇮🇳🇺🇲 CM Devendra Fadnavis at the meeting with the executive delegation of Nuclear Energy Institute (NEI) and US-India Strategic Partnership Forum (USISPF) as part of 'US Nuclear Executive Mission to India'.
— CMO Maharashtra (@CMOMaharashtra) May 20, 2026
The delegation includes:
✅ President and CEO of Nuclear Energy… pic.twitter.com/FXjHhTv3y8
ફડણવીસે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પરમાણુ ઊર્જાના નાગરિક ઉપયોગને મંજૂરી આપતું માળખું તૈયાર કર્યું છે અને મહારાષ્ટ્રે આ ક્ષેત્રમાં 25,000 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટ્સ માટે પહેલાથી જ કરારો પર હસ્તાક્ષર કર્યા છે.ફડણવીસે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં પહોંચતા પહેલાં તેમને જાણ કરવામાં આવી હતી કે અમેરિકન દુતાવાસ લગભગ 25 અમેરિકન વૈશ્ર્વિક પરમાણુ ઉર્જા અને પરમાણુ ઉત્પાદન કંપનીઓના પ્રતિનિધિમંડળને મહારાષ્ટ્રમાં લાવ્યું છે.
દિલ્હીમાં ચર્ચા કર્યા પછી, તેઓએ મહારાષ્ટ્રમાં એક કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. અમે તેમની સમક્ષ પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં મહારાષ્ટ્રની ભાવિ યોજનાઓ રજૂ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસના જણાવ્યા મુજબ કંપનીઓએ રાજ્યના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો.તેમણે કહ્યું કે ટ્રોમ્બે ખાતે ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રની સ્થાપના સાથે મહારાષ્ટ્રે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને ફરી એકવાર પરમાણુ ઉર્જાના વિસ્તરણના આગામી તબક્કાનું નેતૃત્વ કરશે.
એનસીપી (એસપી)ના વડા શરદ પવાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો અને વ્યૂહાત્મક કરારો માટે પ્રશંસા કરતી ટિપ્પણીનો ઉલ્લેખ કરતા, ફડણવીસે કહ્યું કે આ ટિપ્પણીઓ મહત્વપૂર્ણ છે.‘જ્યારે વડા પ્રધાન વિદેશી દેશોની મુલાકાત લે છે, ત્યારે વિવિધ રાષ્ટ્રો સાથે વ્યૂહાત્મક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવે છે. આ કરારો આગામી 10થી 20 વર્ષ માટે ભારતનું ભવિષ્ય સુરક્ષિત કરે છે. પવાર સાહેબે સાચું કહ્યું છે કે આવી મુલાકાતોની બિનજરૂરી ટીકા ન થવી જોઈએ,’ એમ પણ તેમણે કહ્યું હતું.