બિલાસપુર: છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દિલ્હી-બિલાસપુર એલાયન્સ એરની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટી ગયું હતું. જોકે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના કોઇ સમાચાર નથી.
ફ્લાઇટમાં 37 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો હતા
આ અંગે મળતી માહિતી મુજબ દિલ્હીથી બિલાસપુર જતી એલાયન્સ એરની ફ્લાઇટ લેન્ડિંગની તૈયારીમાં હતી ત્યારે અચાનક વિમાનનું એક ટાયર ફાટી ગયું હતું. આ ફ્લાઇટમાં 37 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો હતા.જોકે અચાનક ટાયર ફાટવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
મુસાફરોને સુરક્ષિત રીતે રનવે પર લાવવામાં આવ્યા
આ અંગે બિલાસપુરના એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક મુસાફરને સુરક્ષિત રીતે રનવે પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બધા મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ અધિકારીઓ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના બાદ વિમાન કંપનીની આગામી તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
બિહારના દરભંગા એરપોર્ટ પણ આવી જ દુર્ઘટના સર્જાઇ હતી
ઉલ્લેખનીય છે કે, આવી જ દુર્ઘટના આ પૂર્વે બિહારના દરભંગામાં બની હતી. જેમાં મુંબઈથી જઇ રહેલી સ્પાઈસજેટની ફ્લાઇટનું ટાયર દરભંગા એરપોર્ટ પર ફાટ્યું હતું. અહેવાલો અનુસાર, આ ઘટના લેન્ડિંગ દરમિયાન બની હતી. તે સમયે વિમાનમાં આશરે 148 મુસાફરો સવાર હતા. જોકે, બધાનો બચી ગયો હતો.