કારાકાસઃ વેનેઝુએલામાં ભારતીય સમય પ્રમાણે ગુરૂવારે વહેલી સવારે 3.34 કલાકે આવેલા ભૂકંપના બે આંચકામાં મૃત્યુઆંક 1 લાખ પહોંચી શકે છે. પ્રાથમિક રીતે લગભગ 15 લાખ લોકોના મોતનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે પણ ભૂકંપે વેરેલી તબાહીની વિગતો બહાર આવતાં મૃત્યુ આંક હજુ વધશે એ સ્પષ્ટ છે.
યુએસ જીઓલોજિકલ સર્વેએ દાવો કર્યો છે કે, આ ભૂકંપમાં મોટી જાનહાનિ થઈ શકે છે. એજન્સીએ જણાવ્યું છે કે, આ ભૂકંપમાં 10,000થી વધુ લોકોનાં મોત થયાં હોવાની સંભાવના 44 ટકા છે જ્યારે 1 લાખથી વધુ લોકોના મોતની સંભાવના 30 ટકા છે.
વેનેઝુએલામાં ભૂકંપથી થયેલ નુકસાનના દ્રશ્યો
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 25, 2026
#temblor #Caracas #earthquake
pic.twitter.com/jBmKRUtR6s
નિષ્ણાતોના મતે, બીજી સંભાવના સાચી પડે એવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે કેમ કે ધીરે ધીરે ભૂકંપની વિનાશકતાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ વિગતો પ્રમાણે, સેંકડો ઈમારતો ધરાશાયી થઈ છે અને હજારો લોકો કાટમાળમાં દટાયેલા છે. ભૂકંપ કારાકાસના પોશ મનાતા વિસ્તારોમાં આવ્યો હતો કે જ્યાં મોટા પ્રમાણમાં ઓફિસો આવેલી છે તેથી મૃત્યુઆંક મોટો હોઈ શકે છે.
વેનેઝુએલામાં ભૂકંપથી થયેલ નુકસાનના દ્રશ્યો - 2#temblor #Caracas #earthquake pic.twitter.com/UmposIe4Vw
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 25, 2026
યુએસજીએસનું કહેવું છે કે, ભૂકંપના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન તો થયું જ છે પણ હજુ આફ્ટરશોકની પણ સંભાવના છે. તેના કારણે માંડ માંડ ટકી રહેલી ઘણી ઈમારતો ધરાશાયી થઈ જશે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)ના દાવા પ્રમાણે, ભૂકંપના બે આંચકાના કારણે મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ છે