દેશમાં મુસ્લિમ સમુદાય સામે વધતી નફરતના અહેવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના બેહાટીગઢ નજીક દિલ્હી-દહેરાદૂન નેશનલ હાઈવેપર વાંધાજનક લખાણ લખવામાં આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. આહેવાલ મુજબ NH-72A પર "આ રસ્તો મુસ્લિમો માટે માન્ય નથી" એવું લખેલું ગ્રેફિટી જોવા મળ્યું હતું, પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
અહેવાલ મુજબ પોલીસને બે વિડીયો મળ્યા છે, જેમાં જેમાં બે યુવતીઓ NH-72A ની પર રેલિંગ પર સ્પ્રે પેઇન્ટનો ઉપયોગ કરીને ગ્રેફિટી બનાવી રહી છે, હાલ પોલીસ આ વિડીયોની સત્યતા પણ ચકાસી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ઉત્તરાખંડના રજીસ્ટ્રેશન નંબર પ્લેટવાળી એક કાર જોવા મળે છે, એક યુવતીએ ગળામાં ભાગવા રંગનો ખેસ પહેર્યો હતો. અહેવાલ મુજબ આ યુવતીઓ 'હિન્દુ રક્ષા દળ' નામના એક હિન્દુત્વવાદી સંગઠન સાથે જોડાયેલી છે.
બેહાટીગઢ પોલીસના જણાવ્યા મુજબ રોડની બાજુમાં એક એલિવેટેડ લોખંડની રેલિંગ પર હિન્દીમાં "યે સડક મુસલમાનોને કે લિયે નહીં હૈ" શબ્દો લખેલા હોવાની જાણ કરવામાં આવી હતી.
The incident in Ghaziabad is very disturbing. Reports say Hindu Raksha Dal members wrote “This road is not for Muslims.” Spreading hate and damaging public property cannot be ignored. I request the authorities to take strict action. #Muslim #UP pic.twitter.com/Z8alPixHgT
— Rais Shaikh (@rais_shk) February 27, 2026
પોલીસે જણાવ્યું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)ના એક કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(2) હેઠળ 'હિન્દુ રક્ષા દળ' નામના સંગઠનના અજાણ્યા કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.