Tue Jul 14 2026

Logo

ઓસ્ટ્રેલિયાની જેમ ગુજરાત સરકાર પણ 16 વર્ષ નીચેના માટે સોશિયલ મીડિયા અને એઆઈ ઉપયોગ માટે નિયમો લાવશે

2026-07-14 16:20:36
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટૂલ્સનો સમજ્યા વિના ટીનએજર્સ ઉપયોગ કરી રહ્યા છે અને તેના ઘણા ભયંકર પરિણામો આવી રહ્યા છે. આ અંગે ગંભીરતા દાખવી ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષ નીચેના છોકરા-છોકરીઓ માટે નિયમો બનાવ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર પણ આવું કોઈ માળખું તૈયાર કરવાનું વિચારી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલુ કવાયત સોશિયલ મીડિયાથી આગળ વધે છે. જ્યારે બાળકોના માનસિક સ્વાસ્થ્ય, ધ્યાન અને વર્તન પર સોશિયલ મીડિયાના ભારે ઉપયોગની અસરોનો વ્યાપકપણે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યો છે, ત્યારે સરકાર AI-સંચાલિત સાધનો પર વિદ્યાર્થીઓની વધતી જતી નિર્ભરતા પર પણ નજર રાખી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયાથી આગળ વિચારી રહ્યા છે. સોશિયલ મીડિયાથી બાળકોની એકાગ્રતા, માનસિક સ્વાસ્થ્ય અને વર્તન પર જે અસર થાય છે તેનું પણ ડોક્યુમેન્ટેન્શન થઈ રહ્યું છે, આ સાથે એઆઈ પર વિદ્યાર્થીઓની વધતી જતી નિર્ભરતા પર પણ નજર રાખવામાં આવી રહી છે. 

એવી ચિંતા વધી રહી છે કે એઆઈ પર વધુ પડતી નિર્ભરતા વિદ્યાર્થીઓની વિચારવાની, તર્ક કરવાની અને સ્વતંત્ર રીતે સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાને અસર કરી રહી છે. સરકાર માર્ગદર્શિકા ઘડતી વખતે આ વિષયોને પણ ધ્યાનમાં લેશે, તેમ અધિકારીએ જણાવ્યું હતું. 

શિક્ષણ વિભાગ ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક ભાગોમાં અપનાવવામાં આવેલા નિયમનકારી પગલાં તેમજ આંધ્રપ્રદેશ અને ગોવા જેવા રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાંનો અભ્યાસ કરી રહ્યું છે, જેમણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રણમાં લાવવા માર્ગદર્શિકા ઘડવાનું શરૂ કર્યું છે.

અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે આ નિયમોના અમલ દરમિયાન ઘણા પડકારો આવી શકે તેમ છે. કોઈપણ માળખાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સરકાર માતાપિતા, નિષ્ણાતો બાળ મનોવૈજ્ઞાનિકો, ડિજિટલ સિક્યોરિટી નિષ્ણાતો અને અન્ય લોકોની સલાહ લેશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત હજુ પ્રાથમિક તબક્કામાં છે. માર્ગદર્શિકા આખરે શું સ્વરૂપ લેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર પણ આવા પગલા પર વિચાર કરી રહી છે, અને રાજ્ય સરકાર તેમના સંપર્કમાં છે.