નવી દિલ્હીઃ તમિલનાડુમાં કૉંગ્રેસ અને ડીએમકે વચ્ચેનું ગઠબંધન પૂરું થઈ ગયું છે. કૉંગ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આ ઘટનાક્રમ બાદ ટીવીકે પ્રમુખ વિજય માટે સરકાર બનાવવાનો રસ્તો આસાન થયો તેમ લાગે છે. ટીવીકેના વિજયે ઔપચારિક રીતે કૉંગ્રેસનું સમર્થન માંગ્યું હતું.
જે બાદ તમિલનાડુ કૉંગ્રેસ કમિટી અને કૉંગ્રેસ વિધાયક દળે રાજ્યમાં સરકારના ગઠન માટે ટીવીકેને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. કૉંગ્રેસ તેના નિવેદનમાં જણાવ્યું કે, તમિલનાડુની જનતા ખાસ કરીને યુવાનોએ ધર્મનિરપેક્ષ, પ્રગતિશીલ અને જનકલ્યાણકારી સરકારના પક્ષમાં જનાદેશ આપ્યો છે.
આ ઉપરાંત કૉંગ્રેસ સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈપણ જાતની શરત વગર સમર્થન આપશે. ટીવીકેના ગઠબંધનમાં ભારતીય બંધારણના મૂલ્યોમાં વિશ્વાસ ન રાખતાં હોય તેમને સામેલ નહીં કરાય. આ શરત કૉંગ્રેસની વિચારધારા અને ધર્મનિરપેક્ષ છબિને ધ્યાનમાં રાખીને મુકવામાં આવી છે.
The President of Tamizhaga Vettri Kazhagam (TVK), Thiru C Vijay, has formally requested the Indian National Congress (INC) to extend its support for forming a government in Tamil Nadu. The people of Tamil Nadu, especially the youth, have delivered a very clear, strong and… pic.twitter.com/Aig79MoRoE
— Tamil Nadu Congress Committee (@INCTamilNadu) May 6, 2026
આ નવા રાજકીય સમીકરણ અંતર્ગત કૉંગ્રેસ અને ટીવીકે એ સાથે મળીને તમિલનાડુમાં સ્થિર સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ગઠબંધનનો ઉદ્દેશ માત્ર સરકાર બનાવવાનો જ નથી, પરંતુ ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, લોકસભા અને રાજ્યસભા ચૂંટણીમાં સાથે મળીને ઉતરવાનો છે.
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીમાં અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ 108 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું, પરંતુ 118ના બહુમતના આંકડાથી હજુ પણ 10 બેઠક દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જટિલ બની છે. 234 સભ્યની તમિલનાડુ વિધાનસભામાં સ્પષ્ટ બહુમત માટે 118 સીટ જરૂરી છે.