નવી દિલ્હીઃ લોકસભા મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અર્ધસત્ય બોલે છે. અનામત બિલનો વિરોધ થયો પણ આ વિરોધ કોણે કર્યો એ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. લોકસભામાં મહિના અનામત બિલ પર બોલતા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, એ વાતમાં કોઈ આશંકા નથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મહિલાઓના સંરક્ષણ અને અનામતના પક્ષમાં મજબૂતીથી ઊભી છે. આગળના સમયમાં પણ ઊભી રહેશે.
કોંગ્રેસ સમર્થન કરે છે
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, વડા પ્રધાન મોદીની આજની ટિપ્પણીઓ પરથી એવું લાગે છે કે, ભાજપ મહિલા અનામતની પ્રણેતા અને સૌથી મોટી સમર્થક રહી છે. એમના સમગ્ર ભાષણનો વિષય જ આ હતો. ભલે એમણે દાવો કર્યો કે, આનો કોઈ શ્રેય લેવા નથી માગતા. વર્ષ 2023માં રાહુલ ગાંધીનો પત્ર વાંચ્યાના કેટલાક વર્ષો બાદ જ્યારે વડા પ્રધાન મોદીની સરકારે 2023માં સર્વસંમતિથી બિલ પાસ કર્યું હતું. કોંગ્રેસે પણ પોતાની વિચારધારા અનુસાર એનું સમર્થન કર્યું છે.
તેઓ અર્ધસત્ય બોલી રહ્યા છે
વડા પ્રધાન મોદીએ એ વાતનો ઉલ્લેખ તો કર્યો હતો પણ હંમેશાંની જેમ તેઓ અર્ધસત્ય બોલ્યા છે. તેમણે સદનને જણાવ્યું તો વિરોધ થયો હતો. પણ સ્પષ્ટ રૂપે એવું નથી કહ્યું કે, વાસ્તવમાં વિરોધ કોણે કર્યો. વિરોધ થયો પણ એવું નથી કહ્યું કે, આ વિરોધ કોણે કર્યો. હકીકત તો એ છે કે, એ ભાજપ જ હતી, જેણે સૌથી પહેલા વિરોધ કર્યો હતો. હવે વર્ષો બાદ પૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિમ્હારાવના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો અને લાગુ કર્યો હતો. જો બંધારણમાં સંશોધનનું બિલ પાસ થઈ જાય છે તો આ દેશમાં લોકતંત્ર ખતમ થઈ જશે.આ એક એવો વિષય છે જે દરેક મહિલાના દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે.
નહેરૂની વાત રજૂ કરી
આ વિષય પર બોલવાનો ચાન્સ મળ્યો એ માટે હું આભારી છું. શાસક પક્ષના મારા સાથીદારો કદાચ આ વાતને સ્વીકારશે નહીં, પરંતુ ઐતિહાસિક સંદર્ભ એ છે કે, તેનો પાયો તે નહેરુ દ્વારા નાંખવામાં આવ્યો ન હતો, જેનો ઉલ્લેખ તમે વારંવાર બોલો છો. આ તે નહેરુ નથી જેના વિશે તમે શંકા રાખો છો.
એ તેમના પિતા, મોતીલાલ નહેરુ હતા જેમણે 1928માં એક અહેવાલ તૈયાર કર્યો હતો અને તેને કોંગ્રેસ કાર્યકારી સમિતિને સુપરત કર્યો હતો. તેમણે તે સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમણે 19 મૂળભૂત અધિકારોની ગણતરી કરી હતી. આજે વડા પ્રધાન મોદીએ આકસ્મિક રીતે ટિપ્પણી કરી કે સમાજના અમુક વર્ગોની ચિંતાઓને પછીના તબક્કે સંબોધવામાં આવશે.
વડા પ્રધાનનો ઉલ્લેખ કરીને કહ્યું
તેઓ કયા વર્ગોનો ઉલ્લેખ કરી રહ્યા છે? તેઓ ખાસ કરીને OBC સમુદાય વિશે વાત કરી રહ્યા હતા, સૂચવ્યું હતું કે તેમના મુદ્દાઓને પછીથી ધ્યાનમાં લઈ શકાય. આ બાબતને હળવાશથી ન લેવી જોઈએ. આને એક 'ટેકનિકલ મુદ્દા' તરીકે દર્શાવીને તેમણે આ બાબતથી હાથ ધોવાનો પ્રયાસ કર્યો છે.
અમે તેમની માંગણીઓનું સમર્થન કરી રહ્યા છીએ અને તેમની જરૂરિયાતોને પ્રકાશિત કરી રહ્યા છીએ. હજુ પણ ભારપૂર્વક કહી રહ્યા છીએ કે તેઓ પણ તેમના હકદાર હિસ્સાના હકદાર છે. છતાં, વડા પ્રધાને આ સમગ્ર મુદ્દાને ફક્ત એક ટેકનિકલતા સુધી ઘટાડી દીધો છે.