નોઇડા: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો ફિનીશર રિંકુ સિંહ હાલ T20 વર્લ્ડ કપમાં ભાગ લઇ રહ્યો છે, એવામાં તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આજે શુક્રવારે સવારે તેના પિતાનું અવસાન નીપજ્યું હતું. અહેવાલ મુજબ રિંકુના પિતા ખાનચંદ સિંહ લાંબા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતાં, આજે સવારે ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને રિંકુને સાંત્વના આપી રહ્યા છે.
તાજેતરના દિવસોમાં રિંકુના પિતાની તબિયત લથડી હતી, હોસ્પિટલમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. આ અઠવાડિયે રિંકુ તેમને મળવા નોઇડા પહોંચ્યો હતો. ગઈ કાલે ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા તે ટીમમાં ફરી જોડાયો હતો, મેચામાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક ના હતી મળી, પરંતુ તે ફિલ્ડીંગ કરતો જોવા મળ્યો હતો. પિતાના અવસાનના સમાચાર મળતા રિંકુ નોઇડા માટે રવાના થયો હતો.
બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે રિંકુ સવારે 5 વાગ્યે ચેન્નઈથી રવાના થયો, રિંકુના પિતાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર તેમના વતન ઉત્તરપ્રદેશના અલીગઢમાં કરવામાં આવશે.
સફળતાનો શ્રેય પિતાને:
રિંકુ સિંહના સફળ ક્રિકેટ કરિયર માટે તેના પિતાએ મહત્વનો ફાળો આપ્યો હતો, રિંકુ હંમેશા તેની સફળતાનો શ્રેય તેના પિતા ખાનચંદ સિંહને આપતો. ખાનચંદ સિંહને અલીગઢમાં ગેસ સિલિન્ડર વિતરણમાં કામ કરતા હતાં, આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા હોવા છતાં રિંકુનાં ક્રિકેટર બનવાના સપનાને સમર્થન આપ્યું.
કોણે શું કહ્યું:
Deeply saddened to hear about the passing of Rinku Singh’s father. My heartfelt condolences to Rinku and his family in this difficult time. May lord Shiva give him the strength to stay strong ,
— MithunManhas5 (@MithunManhas) February 27, 2026
Aum Shanti 🙏🙏
BCCIના અધ્યક્ષ મિથુન મહનાસે રિંકુના પિતા અવસાન અંગે શોક વ્યક્ત કર્યો. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, "રિંકુ સિંહના પિતાના અવસાનના સમાચાર મળતા ખૂબ દુઃખ થયું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના રિંકુ અને તેમના પરિવાર સાથે છે. ભગવાન શિવ તેમ પરિસ્થિતિનો સામનો કરવા શક્તિ આપે. ઓમ શાંતિ"
क्रिकेटर रिंकू सिंह के पिता श्री खानचंद सिंह जी के निधन का समाचार अत्यंत दुःखद है। इस कठिन घड़ी में मेरी गहरी संवेदनाएँ रिंकू सिंह और उनके समस्त परिवार के साथ हैं।
— Rajeev Shukla (@ShuklaRajiv) February 27, 2026
ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें और शोकाकुल परिजनों को यह अपार दुःख सहने की शक्ति प्रदान करें।
ॐ…
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ રિંકુના પિતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું, “ક્રિકેટર રિંકુ સિંહના પિતા શ્રી ખાનચંદ સિંહના નિધનની ખુબર ખૂબ જ દુઃખદ છે. આ આપત્તિના સમયમાં, મારી સંવેદનાઓ રિંકુ અને તેમના પરિવાર સાથે છે. ભગવાન શોકગ્રસ્ત પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે."
Rinku, my deepest condolences to you and your loved ones. May your father’s soul rest in peace and may you find strength in this tough moment. Om Shanti 🙏 @rinkusingh235
— Shikhar Dhawan (@SDhawan25) February 27, 2026
ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટરો, હરભજન સિંહ, સુરેશ રૈના, શિખર ધવન અને આકાશ ચોપરાએ પણ રિંકુ સિંહને સાંત્વના પાઠવી છે.
Deeply saddened to hear about your father’s passing, my brother. Please accept my heartfelt condolences. May his soul rest in peace, and may you and your family find strength and comfort during this difficult time. Om Shanti 🙏 @rinkusingh235
— Suresh Raina🇮🇳 (@ImRaina) February 27, 2026