નવી દિલ્હી: શિવસેના (યુબીટી)ના નવ લોકસભા સાંસદોમાંથી છ સાંસદોએ ગુરુવારે અહીં સંસદીય પક્ષની મીટિંગમાં હાજરી આપી નહોતી, જેના પરથી એવા સંકેત મળે છે કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સત્તાધારી શિવસેનામાં ઔપચારિક ક્રોસઓવર ફક્ત સમયની વાત હોઈ શકે છે.પાર્ટીના એકમાત્ર રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ ઠાકરેના વિશ્ર્વાસુ સંજય રાઉત દેખીતી રીતે જ નારાજ હતા અને તેમણે ગેરહાજર સાંસદો સામે આગ વરસાવી હતી, ગાળો આપી હતી અને કહ્યું હતું કે ગદ્દારોને શિવસૈનિકોના રોષથી બચવા માટે ઈન્ડિયન એરફોર્સનું રક્ષણ લેવું પડશે.
સેના (યુબીટી)ના સાંસદો અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજેએ બેઠકમાં હાજરી આપી હતી, સાથે પાર્ટીના એકમાત્ર રાજ્યસભા સાંસદ સંજય રાઉત પણ હાજર રહ્યા હતા. બાકીના છ સાંસદોની ગેરહાજરીથી પાર્ટીના સંસદીય રેન્કમાં વિભાજનની પુષ્ટિ થઈ હતી.બેઠકમાં ગેરહાજર રહેલા સાંસદોમાં નાગેશ આષ્ટિકર, સંજય દેશમુખ, સંજય જાધવ, સંજય દિના પાટિલ, ઓમપ્રકાશ રાજે નિમ્બાળકર અને ભાઉસાહેબ વાકચૌરેનો સમાવેશ થાય છે.
બેઠક બાદ સાવંતે પત્રકારોને જણાવ્યું હતું કે છ સાંસદોને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવશે.‘આ સંદર્ભે વ્હીપ જારી કરવામાં આવ્યો હોવા છતાં તેઓ બેઠકમાં કેમ હાજર ન રહ્યા તે અંગે પૂછવામાં આવશે. તેમને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવશે અને જો તેઓ જવાબ નહીં આપે, તો અમે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને તેમને ગેરલાયક ઠેરવવા માંગ કરીશું,’ એમ શિવસેના (યુબીટી)ના લોકસભામાં ફ્લોર લીડર સાવંતે જણાવ્યું હતું.
Nagesh Patil Ashtikar यांची बंडखोरी जिव्हारी, शिवसैनिक आक्रमक, काय केलं?| Uddhav Thackeray#ShivSena #UBT #Hingoli #NageshPatilAshtikar #EknathShinde #MaharashtraPolitics #PoliticalNews #MarathiNews #BreakingNews #ViralVideo pic.twitter.com/KMDo3ShvYh
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) June 18, 2026
રાઉતે કહ્યું હતું કે સાંસદોની ગેરહાજરીને પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન માનવામાં આવશે અને તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ છ અસંતુષ્ટ સાંસદોએ શિંદેની આગેવાની હેઠળની સેનામાં વિલીનીકરણની માગણી કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને તેને લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કર્યો છે.
જોકે, પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી, કારણ કે સ્પીકરની ઓફિસે ચકાસણી માટે કેટલાક સાંસદોની વ્યક્તિગત હાજરી આવશ્યક હોવાનું માનવામાં આવે છે અને તે ‘આગામી દિવસોમાં થવાની અપેક્ષા છે,’ એમ તેમણે જણાવ્યું હતું.સૂત્રોએ ઉમેર્યું કે, પત્ર પરના હસ્તાક્ષરોની ચકાસણી હાલમાં ચાલી રહી છે.સાવંતે કહ્યું હતું કે જો આવો કોઈ પત્ર અસ્તિત્વમાં હોય તો બળવાખોર સાંસદોએ તેને જાહેર કરવો જોઈએ.
બુધવારે બળવાખોરો સામે અપશબ્દોનો ઉપયોગ કરનારા રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આ વખતે, વસ્તુઓ સરળ નથી અને તેમને બક્ષવામાં આવશે નહીં.’‘ગદ્દારો ઘરે કે તેમના મતવિસ્તારમાં જઈ શકશે નહીં. તેમને યોગ્ય પાઠ ભણાવવામાં આવશે. તેમને ઘરે પહોંચવા માટે સેનાની મદદની જરૂર પડશે,’ એવી ચેતવણી રાઉતે આપી હતી.તેમણે દેશમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ માટે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને પણ જવાબદાર ઠેરવ્યા હતા.
બુધવારે, શિવસેના (યુબીટી)એ ત્રણ લાઇનનો વ્હીપ જારી કરીને તેના સાંસદોને ગુરુવારે સવારે 11 વાગ્યે બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. આ પગલાનો હેતુ બળવાખોર નેતાઓ સામે સંભવિત ગેરલાયકાતની કાર્યવાહીનો માર્ગ મોકળો કરવાનો હતો.શિવસેના (યુબીટી)ના લોકસભામાં નવ સાંસદ છે અને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અપાત્રતાથી બચવા માટે ઓછામાં ઓછા છ સાંસદોએ પક્ષ બદલવો પડશે.
Ramdas Kadam : Operation Tiger : रामदास कदमांनी उद्धव ठाकरेंना डिवचलं | Uddhav Thackeray Vs Eknath Shinde #RamdasKadam #UddhavThackeray #EknathShinde #OperationTiger #ShivSena #MaharashtraPolitics #PoliticalNews #BreakingNews #MarathiNews #LatestNews pic.twitter.com/IrrGVBdoEU
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) June 18, 2026
‘પક્ષના વડા (ઉદ્ધવ ઠાકરે) સાથે સલાહ લીધા પછી વ્હીપનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે,’ એમ સાવંતે બેઠક પહેલા પત્રકારોને જણાવ્યું હતું.જોકે, શિંદે જૂથના સૂત્રોએ વ્હીપની માન્યતા પર વાંધો ઉઠાવતા કહ્યું કે તે દસમી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) હેઠળ ફક્ત ગૃહની કાર્યવાહી માટે જારી કરી શકાય છે, પક્ષની આંતરિક બેઠકો માટે નહીં.‘કોર્ટોએ વારંવાર કહ્યું છે કે જ્યારે રાજકીય પક્ષ સંગઠનાત્મક શિસ્તના વિષય તરીકે આંતરિક નિર્દેશો (મીટિંગો સહિત) જારી કરી શકે છે, ત્યારે આવા વ્હીપનું પાલન ન કરવાથી ગૃહમાં મતદાન ન થાય ત્યાં સુધી દસમી અનુસૂચિનું કોઈ પરિણામ આવતું નથી,’ એમ શિંદે જૂથના એક સૂત્રેએ જણાવ્યું.