Fri Jul 03 2026

Logo

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસસ્થાને ભાજપની મહત્વપૂર્ણ બેઠક, કેમ મોડી રાત્રે બેઠક બોલાવી?

2026-07-02 22:36:55
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને હાલમાં ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠક છેલ્લા એક કલાકથી ચાલી રહી છે. બેઠકમાં ભાજપના નેતા નીતિન નવીન અને મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ પણ હાજર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સંગઠનાત્મક વિસ્તરણ અંગે ચર્ચા થઈ રહી છે. નીતિન નવીન આ બેઠક માટે ગૃહ પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને હાલમાં તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે. સંગઠનાત્મક વિસ્તરણના અહેવાલો વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શા માટે આ બેઠક યોજવામાં આવી હશે?

આ બેઠક ભાજપના સંગઠનાત્મક માળખા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીની નવી રાષ્ટ્રીય ટીમની રચના, સંગઠનાત્મક ફેરબદલ, રાજ્ય સ્તરના પ્રભારીઓમાં ફેરફાર અને ટોચના નેતૃત્વમાં ફેરફાર અંગે ચર્ચા થઈ રહી છે. નીતિન નવીનની નવી ટીમની રચના અને આ મહિનાની 4થી કે 5મી તારીખે યોજાનારી ઉત્તર પ્રદેશની આગામી મુલાકાતના સંદર્ભમાં જોવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે અન્ય કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ.

ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજરીમાં થઈ આ બેઠક

અમિત શાહના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપની રાષ્ટ્રીય ટીમમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે? જો આ ફેરફાર થઈ રહ્યો છે તેમાં કેવા ફેરફાર કરવામાં આવશે. મહત્વની વાત એ છે, આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રો એવું પણ કહે છે કે, આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવી રહી છે, તો તેની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ માટે પડકારજનક સાબિત થઈ શકે છે.