કોલકાતા : પશ્ચિમ બંગાળના ટીએમસી અને મમતા બેનર્જીની કારમી હાર થઇ છે. તેની બાદ આજે સુવેન્દુ અધિકારીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે મમતા બેનર્જીનું સોશિયલ મીડિયા સ્ટેટસ ચર્ચાનો વિષય બન્યું છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પરથી પ્રોફાઇલમાંથી મુખ્યમંત્રી તરીકેનો ટેગ દૂર નથી કર્યો. મમતા બેનર્જીએ ફેસબુક અને એક્સ પર પોતાને મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળ તરીકેનો ટેગ હજુ જાળવી રાખ્યો છે.
સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મુખ્યમંત્રીની ટેગ જાળવી રાખ્યો
ટીએમસીના વડા મમતા બેનર્જીએ પોતાની પ્રોફાઇલમાં કેટલાક ફેરફારો કર્યા છે. તેમણે પોતાના બાયોમાં '15મી, 16 મી અને 17 મી વિધાનસભા' શબ્દ ઉમેર્યો છે. જોકે, 'મુખ્યમંત્રી' ટેગ જાળવી રાખ્યો છે. ચૂંટણીમાં હાર બાદ પણ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો હતો.તેમજ આ વાત તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાળવી રાખી છે.
મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર બાયો બદલ્યો | MamataBanerjee | WestBengal Politics | SuvenduAdhikari #mamatabanerjee #westbengalpolitics #breakingnews #tmc #bjpwestbengal #resignation #kolkata #bengalelectionresults #gujaratnews #politicalupdates #મમતાબેનર્જી #બંગાળ #સમાચાર… pic.twitter.com/Gz9WAUmmxx
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 9, 2026
રાજ્યપાલ આર.એન. રવિએ 17મી વિધાનસભાનું વિસર્જન કર્યું
આ પૂર્વે રાજ્યપાલ આર.એન. રવિએ 17મી વિધાનસભાનું વિસર્જન કર્યું હતું. આ વિધાનસભાનો કાર્યકાળ 7 મેના રોજ જ પૂર્ણ થયો હતો. રાજ્યપાલે બંધારણની કલમ 174 (2)(b)હેઠળ તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને આ આદેશ જાહેર કર્યો હતો.
મમતા બેનર્જી 2011 થી સતત 15 વર્ષ સુધી સત્તામાં રહ્યા
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી 2011 થી સતત 15 વર્ષ સુધી સત્તામાં રહ્યા. વર્ષ 2021માં તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, 2026 ની ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. ભાજપે 293 માંથી 207 બેઠકો જીતીને બહુમતી મેળવી જ્યારે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ.
146 Talk Show | કેવી રીતે તૂટ્યો મમતાનો ગઢ | જગદીશ મહેતાનું સચોટ વિશ્લેષણ | Jagdish Mehta Analysis મમતાના ગઢમાં ગાબડું જાણો કઈ રણનીતિએ સપાટો બોલાવ્યો ફરી એક વખત મોદી મેજીક પરિણામો આવતા જ વિપક્ષમાં સન્નાટો દેશમાંથી પ્રથમ વખત ડાબેરીઓનો સફાયો તામિલનાડુમાં TVK નો દબદબો જીગર… pic.twitter.com/uU9aakR0ar
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 5, 2026
મમતા બેનર્જી ભવાનીપુર મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા
આ ઉપરાંત મમતા બેનર્જી પોતે ભવાનીપુર મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા હતા. તેમજ હાર બાદ તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર વોટ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યમાં હવે નવી ભાજપ સરકાર રચાઈ છે અને સુવેન્દુ અધિકારીએ સીએમ તરીકે સુકાન સંભાળ્યું છે.