Mon May 11 2026

Logo

શશી થરૂરે કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપ અને કેરલમમાં કોંગ્રેસને SIR નો ફાયદો થયો

2026-05-11 16:50:53
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ભાજપ અને કેરલમ કોંગ્રેસની જીત પાછળ અનેક કારણો છે. જોકે, કોંગ્રેસ સાંસદ શશી થરૂરે આની પાછળનું મુખ્ય કારણ SIR ની પ્રક્રિયા ગણાવી હતી. તેમજ આ પ્રક્રિયા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં  આ પ્રક્રિયા દરમિયા 91 લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ 34 લાખ લોકોએ અપીલ કરી અને કહ્યું કે તેઓ સાચા મતદારો છે. થરૂરે કહ્યું કે મતદાન પૂર્વે મોટાભાગની અપીલો પેન્ડિંગ રહી હતી. 

લાયક મતદાતા મતદાનની તક ગુમાવી ચૂક્યા છે 

શશી થરૂરે  ઈન્ડિયા ઘેટ ઇઝ ભારત ગોલમેજ સંમેલનમાં કહ્યું હતું કે, જે લોકો જીવિત છે  તેમને મતદાન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમજ નિયમો અનુસાર  દરેક કેસનો અલગથી નિકાલ થવો જોઈએ. તેમજ 31 લાખ લોકો એવા છે જે આગામી વર્ષોમાં લાયક મતદાતા બની શકે છે. પરંતુ હાલમાં મતદાન કરવાની તક ગુમાવી ચૂક્યા છે.

વર્ષ 2026ની  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતી અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.  ચૂંટણીમાં ટીએમસીએ 80 બેઠકો જીતી હતી. તેમજ  પેન્ડિંગ મતદારોની અપીલોની સંખ્યા પર પ્રશ્ન ઉઠાવતા  થરૂરે કહ્યું કે ભાજપના જીતના મતોની માર્જિન પેન્ડિંગ અપીલ 30 લાખ જેટલું છે. 
તેમજ તો શું આ સંપૂર્ણપણે ન્યાયી અને લોકશાહી છે. 

કોંગ્રેસે કેરલમમાં 63 બેઠકો જીતી

જ્યારે શશી થરૂરે કેરલમમાં કોંગ્રેસની જીત અંગે જણાવ્યું કે,  ડુપ્લિકેટ મતદારોની નોંધણી દૂર થવાથી રાજ્યમાં કોંગ્રેસને ફાયદો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે ભૂતકાળમાં ડબલ, ટ્રિપલ અને બહુવિધ મતદાર નોંધણીના કિસ્સાઓ બન્યા હતા. કારણ કે સીપીએમ લાંબા સમયથી ડબલ, ટ્રિપલ અને બહુવિધ  નોમિનેશન પ્રક્રિયામાં નિષ્ણાત હતી. એક વ્યક્તિ ચાર અલગ અલગ બૂથ પરથી મતદાન કરતા હતા. જોકે, SIR દ્વારા આ નામો  દૂર કરવામાં આવ્યા હતા. જેના લીધે આ વખતે કોંગ્રેસે કેરલમમાં 63 બેઠકો જીતી છે. ભાજપને 3 બેઠકો મળી છે.

ઇન્ડી ગઠબંધનની દિશા અને વ્યૂહરચના પર પણ અસર

તેમજ કેરલમ વિધાનસભા ચૂંટણીમાં યુડીએફની ઐતિહાસિક જીતથી મહત્વપૂર્ણ રાજકીય સંકેતો મળ્યા છે. તેમના મતે, આ પરિણામ માત્ર કેરલમના રાજકારણમાં મોટા પરિવર્તનનો સંકેત નથી પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે ઇન્ડી ગઠબંધનની દિશા અને વ્યૂહરચના પર પણ અસર કરી શકે છે.