નવી દિલ્હી: એશિયામાં મિસાઇલ સ્પર્ધા તીવ્ર બની છે ત્યારે ભારતે ગુરુવારે અગ્નિ-IV બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલનું દસમું અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલું છઠ્ઠું પરીક્ષણ છે. જેના લીધે પાકિસ્તાન, ચીન અને તુર્કીયે જેવા દેશોની ચિંતામાં વધારો થયો છે.
સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના શસ્ત્રાગારનો ભાગ
ભારત દ્વારા અગ્નિ-IV મિસાઈલનું પરીક્ષણ દર્શાવે છે કે આ સિસ્ટમ સંપૂર્ણપણે યુદ્ધ માટે તૈયાર છે. આ નવીનતમ પ્રક્ષેપણનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે તે વિકાસલક્ષી પરીક્ષણ નહોતું. આ મિસાઈલ પહેલાથી જ અનેક સફળ પરીક્ષણો પૂર્ણ કરી ચૂકી છે અને તે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના શસ્ત્રાગારનો ભાગ છે.
Today, India successfully test-fired Agni-4 once again. Such tests are conducted whenever advanced technologies are integrated into the missile system.
— 【¢@MP@¡Gπ】🇮🇳 (@Skjpromo) August 6, 2026
Jai Hindi🇮🇳 pic.twitter.com/TaRGdMwSZp
અગ્નિ-IV ની રેન્જ 4,000 કિમી
આ ઉપરાંત અગ્નિ-IV મિસાઇલની ગતિશીલતા તેની પ્રહાર ક્ષમતા જેટલી જ મહત્વપૂર્ણ છે. અગ્નિ-IV ની રેન્જ 4,000 કિમી છે. જે પાકિસ્તાન અને તુર્કીથી લગભગ સમગ્ર ચીન સુધી ફેલાયેલા વિશાળ વિસ્તારને આવરી લે છે. જોકે, અગ્નિ-IV ની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેને રડાર પર પકડવી મુશ્કેલ છે.
ભારતની મિસાઇલ ટેકનોલોજી હવે નવા યુગમાં પ્રવેશી
આ ઉપરાંત ભારતની મિસાઇલ ટેકનોલોજી હવે નવા યુગમાં પ્રવેશી છે.અગ્નિ-IV માં ઘણી તકનીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સંયુક્ત રોકેટ મોટર્સ, અદ્યતન ઇનર્શિયલ નેવિગેશન, માઇક્રો-નેવિગેશન સિસ્ટમ્સ અને આધુનિક એવિઓનિક્સે ભારતના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને એક નવા ટેકનોલોજીકલ યુગમાં આગળ ધપાવવામાં મદદ કરી છે.