Sun Jun 28 2026

Logo

ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ

2026-06-28 18:44:18
Author: Nilesh Waghela
Article Image

મુંબઇ: રેટિંગ એજન્સી ક્રિસિલની ચેતવણી મુજબ, ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નાણાકીય વર્ષ ૨૦૨૭માં અભૂતપૂર્વ સ્તરે પહોંચવાનો અંદાજ છે, જે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, રિફાઇન્ડ પ્રોડક્ટ નિકાસમાં સ્થિરતા અને આયાતી પેટ્રોલિયમ પર દેશની નિર્ભરતાના ઝેરી સંયોજનને કારણે છે.અહેવાલમાં જણાવ્યા મુજબ અગાઉના વલણોથી નાટકીય રીતે વિપરીત થવાનો સંકેત આપે છે અને ભારતના બાહ્ય નાણાં પર નોંધપાત્ર દબાણ લાવે છે. ભારત તેની વાર્ષિક ક્રૂડ ઓઇલ જરૂરિયાતના ૮૫ ટકાથી વધુ આયાત દ્વારા પૂર્ણ કરે છે, એક નિર્ભરતા જે સમય જતાં વધુ ગાઢ બની છે.

આયાતનું પ્રમાણ નાણાકીય વર્ષ ૨૦૧૪માં લગભગ ૧૯૦ મિલિયન ટનથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૩૦૦ મિલિયન ટનથી વધુ થઈ ગયું છે, છતાં રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કોરોના પછીના કામચલાઉ વધારા સિવાય મોટાભાગે સ્થિર રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪થી આ અસંતુલન વધુ ખરાબ થયું છે, કારણ કે રિફાઇન્ડ પ્રોડક્ટની નિકાસ સતત બે નાણાકીય વર્ષ માટે ઘટી હતી જ્યારે આયાત વધતી રહી, જે ભૂતકાળથી બ્રેક છે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી ખાધ ઓછી થતી હતી.

ક્રિસિલ અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ ૨૭માં બ્રેન્ટ ક્ડ સરેરાશ ૯૦-૯૫ ડોલર પ્રતિ બેરલ વચ્ચે રહેશે, જે પાછલા નાણાકીય વર્ષમાં ૭૦.૩ ડોલરથી તીવ્ર વધારો છે. પરિણામે, ભારતની ચાલુ ખાતાની ખાધ આ નાણાકીય વર્ષમાં જીડીપીના ૨.૨ ટકા સુધી વધવાની આગાહી છે, જે ઋઢ૨૬ માં અંદાજિત ૦.૮ ટકા હતી.ઊર્જા આંચકો પહેલાથી જ ભારતના મેક્રોઇકોનોમિક માર્ગને ફરીથી આકાર આપી રહ્યો છે. એસએન્ડપી ગ્લોબલ અને ક્રિસિલે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ભારતના જીડીપી વૃદ્ધિ આગાહીને ડાઉનગ્રેડ કરીને ૬.૬ ટકા કરી છે, જે અગાઉ ૭.૬ ટકા હતી. ફુગાવો આશરે ૫.૧ ટકા સુધી વધવાનો અંદાજ છે, જે ઊર્જા અને નૂર ખર્ચમાં વધારો થવાના બીજા રાઉન્ડના પ્રભાવોને પ્રતિબિંબિત કરે છે.

અર્થશાસ્ત્રીઓ નોંધે છે કે જ્યારે ચાલુ ખાતાની ખાધ વ્યવસ્થાપિત સ્તરોમાં રહે છે, ત્યારે  ક્રૂડ તેલના ભાવમાં વધારો થાય તો મૂડી ખાતા અને ચલણ પર સતત દબાણ વધુ નોંધપાત્ર પડકારો ઉભા કરી શકે છે.