Fri Apr 24 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 24 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-24 08:19:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-24 18:02:01

રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ કેજરીવાલ અને ભગવંત માને કહ્યું, ભાજપનો પંજાબીઓ સાથે દગો

આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના રાજીનામાં બાદ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભાગવત માને પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું હતું કે, ભાજપે ફરી એક વાર પંજાબીઓ  સાથે દગો કર્યો છે. જ્યારે પંજાબના સીએમ ભાગવત માને  કહ્યું કે પાર્ટી પક્ષ સર્વોચ્ચ છે.સંગઠન સર્વોચ્ચ છે. તેમજ વ્યક્તિ સર્વોચ્ચ નથી. ભાજપ જે પક્ષો સાથે ગઠબંધન કરે  છે તે જ નાબૂદ કરે છે. પંજાબના લોકો મને પૂરા દિલથી ટેકો આપે છે. જોકે, ભાજપને પંજાબના વિકાસ સાથે સમસ્યા છે.

2026-04-24 17:31:08

રાધવ ચઢ્ઢાના રાજીનામાંથી આપ સાંસદ સંજયસિંહ ભડક્યા, કહ્યું પંજાબની પ્રજા માફ નહિ કરે.

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમી આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. જેના પગલે આપના સાંસદ સંજયસિંહે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમજ કહ્યું હતું કે પંજાબમાં ભાજપનું ઓપરેશન લોટસ શરૂ થયું છે. પરંતુ આ બળવાખોર સાંસદોને પંજાબની પ્રજા માફ નહિ કરે.

2026-04-24 16:09:56

'આમ આદમી પાર્ટી' તૂટી

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે આમી આદમી પાર્ટી છોડીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં સામેલ થવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે અને તેઓ ખોટી પાર્ટીમાં હતા.

2026-04-24 15:29:29

કેરળમાં ચૂંટણી પરિણામ પૂર્વે જ કોંગ્રેસમાં વિવાદ

કેરળમાં 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીનું 4 મેના રોજ પરિણામ જાહેર થવાનું છે. જોકે, તે પૂર્વે કોંગ્રેસના અત્યારથી જ વિખવાદ શરૂ થયો છે. જેમાં આ વખતે કોંગ્રેસ યુડીએફના નેતૃત્વમાં સરકાર બનાવે તેવી શક્યતા છે. જેમાં કોંગ્રેસમાંથી મુખ્યમંત્રીની પદની દાવેદારીએ યુડીએફની મુશ્કેલી વધારી દીધી છે.

2026-04-24 12:04:24

બંગાળમાં ભાજપનો વિજય નિશ્ચિત! પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો હુંકાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીતશે. મતદાનની ઊંચી ટકાવારી દર્શાવે છે કે લોકોનો લોકશાહી પર વિશ્વાસ અને ઉત્સાહ વધ્યો છે. તેમણે પ્રથમ તબક્કાના તમામ મતદારોનો આભાર માન્યો હતો અને બીજા તબક્કાના મતદારોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

2026-04-24 11:45:13

રાજસ્થાન વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

જયપુરઃ રાજસ્થાન વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી મળ્યા બાદ જયપુરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વિધાનસભા સંકુલ ખાલી કરાવ્યું છે. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલમાં સઘન શોધખોળ ચાલી રહી છે.

2026-04-24 10:52:36

અમદાવાદના બાપુનગરમાં સીએમનો સુપર રોડ શો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીએમનો રોડ શો ચાલી રહ્યો છે.  તેમની સાથે પ્રદેશ પ્રમુખની સાથે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ જોડાયા છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે.

2026-04-24 09:49:26

રાજકોટમાં મનીષ સિસોદીયા પ્રચાર કરશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. પ્રચાર પડઘમ શાંત થશે, ત્યારે આજે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયા પ્રચાર કરશે.

2026-04-24 08:24:07

ઈઝરાયલના રક્ષા પ્રધાન મોટું નિવેદન: ઈરાન પર ફરી હુમલો કરવા તૈયાર

ઈઝરાયલના રક્ષા પ્રધાન કાત્ઝનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે,અમારી સેના ઈરાન પર ફરીથી હુમલો કરવા માટે તૈયાર છે. આ માટે બસ અમારે અમેરિકા તરફથી ગ્રીન સિગ્નલ મળવાની રાહ છે.

2026-04-24 08:21:18

અમદાવાદના પાટીદારોના ગઢમાં આજે મુખ્ય પ્રધાનનો રોડ શો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે અમદાવાદમાં મુખ્ય પ્રધાન રોડ શો કરશે.  સવારે 9 કલાકથી રોડ શો શરૂ થશે. પાટીદારોના ગઢ ગણાતા બાપુનગરથી રોડ શોની શરૂઆત થશે અને નિકોલ ખોડીયાર મંદિરે સંપન્ન થશે.