Tue Jun 23 2026

Logo

લખનઊ અગ્નિકાંડઃ 2016માં તોડવાનો આદેશ છતાં કેમ ધમધમતી રહી ઈમારત? ફાયર સેફ્ટીના નામે મોટો ખેલ!

2026-06-23 18:55:02
Author: mumbai samachar team
Article Image

લખનઊઃ ઉત્તર પ્રદેશના લખનઊમાં સોમવારે અલીગંજ વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં 15 લોકોના મોત થયા હતા અને નવ ઈજાગ્રસ્ત થયા હતા. શરૂઆતમાં આગ આકસ્મિક લાગતી હતી. હવે તેની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે કમર્શિયલ ઈમારતમાં અનેક નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો જેને અધિકારીઓએ વર્ષો સુધી નજરઅંદાજ કર્યા હતા.ઉષા મહેતા માર્ગ પર આવેલી ત્રણ માળની ઇમારતને મૂળ રહેણાંક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તે એક કમર્શિયલ સેન્ટર તરીકે કાર્યરત હતી. જેમાં અનેક પ્રકારના બિઝનેસ હતા જેમ કે પેટ શોપ, વેટેરિનરી ક્લિનિક, ગેમિંગ ઝોન, એનિમેશન સેન્ટર અને આઈટી ઓફિસ આવેલા હતા.

સરકારી રેકોર્ડ અનુસાર, આ મિલકતને 2014માં રહેણાંક હેતુઓ માટે સેલ્ફ સર્ટિફિકેશન બિલ્ડિંગ પ્લાન સ્કીમ હેઠળ મંજૂરી મળી હતી. બાદમાં અધિકારીઓએ અધિકારીઓએ પરિસરમાં અનધિકૃત બાંધકામ શોધી કાઢ્યું હતું. બાદમાં લખનઉ વિકાસ સત્તામંડળ (એલડીએ) એ ત્યારબાદ માલિકો સામે કાર્યવાહી શરૂ કરી અને મે 2016માં તોડી પાડવાનો આદેશ જાહેર કર્યો હતો. બે મહિનાથી ઓછા સમય બાદ જૂલાઈ 2016માં એ આદેશને રદ કરવામાં આવ્યો હતો, જેનાથી બિલ્ડિંગને યથાવત રાખવામાં આવી હતી.

22 જૂનના રોજ લાગેલી આગ બાદ એલડીએએ ફરી એકવાર તોડી પાડવાની નોટિસ જાહેર કરી છે અને એવા અધિકારીઓની તપાસ શરૂ કરી છે જેમની કથિત નિષ્ક્રિયતાને કારણે જાણીતી ઉલ્લંઘનો છતાં ઇમારત કાર્યરત રહી હતી.

પોલીસ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં જાણવા મળ્યું છે કે બિલ્ડિંગમાં ફક્ત એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો હતો. આગ દરમિયાન ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા રહેવાસીઓ માટે કોઈ ઈમરજન્સી સીડી, બહાર નીકળવાનો અન્ય રસ્તો અથવા વૈકલ્પિક માર્ગ નહોતો. જેના કારણે આગથી બચવા માટે ઘણા લોકો નીચે કૂદી પડ્યા હતા. બચાવ કર્મચારીઓએ આખરે દિવાલો તોડીને પીડિતો સુધી પહોંચવા માટે બાજુની મિલકતોમાંથી ઇમારતમાં પ્રવેશ કરવો પડ્યો હતો.

પોલીસનો આરોપ છે કે માલિકો અને સંચાલકો પરિસરમાંથી અનેક વ્યાપારી સંસ્થાઓ ચલાવી હોવા છતાં મૂળભૂત ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા હતા. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે કટોકટીનો સામનો કરવા માટે કોઈ પૂરતી સિસ્ટમો નહોતી, કોઈ યોગ્ય જોગવાઈઓ નહોતી અને આગને ફેલાતી અટકાવવા માટે કોઈ સુવિધા નહોતી. બિલ્ડિંગને ફાયર 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (એનઓસી) મેળવવાથી મુક્તિ આપવામાં આવી હતી.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇમારત 15 મીટર કરતા નાની હતી ફરજિયાત ફાયર ક્લિયરન્સ મેળવવા અને કડક ફાયર સેફ્ટી ધોરણોનું પાલન કરવાની જરૂર છે, કારણ કે તે તે મર્યાદાથી નીચે આવી ગઈ હતી, ઇમારતને ફાયર નો ઓબ્જેક્શનની જરૂર નહોતી અને તે દ્રષ્ટિકોણથી ક્યારેય તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું.