મુંબઈઃ પીઢ પટકથા લેખક સલીમ ખાનને ગયા મહિને મગજમાં રક્તસ્ત્રાવ થયા બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે તેમને રજા આપવામાં આવી હતી અને ઘરે લઈ જવામાં આવ્યા હતા.
જાવેદ અખ્તર સાથે "શોલે", "દીવાર" અને "ડોન" જેવી ફિલ્મો બનાવનાર પ્રખ્યાત સલીમ-જાવેદ જોડીના, 90 વર્ષીય સલીમને 17 ફેબ્રુઆરીએ બાંદ્રાની લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે, હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે, ખાનને મગજમાં રક્તસ્ત્રાવ થયો હતો જેની સારવાર કરવામાં આવી હતી અને તેમને સલામતી માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
તેમની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. થોડા સમય પહેલા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ખાન અને અખ્તરે "શોલે", "દીવાર" અને "ડોન" સિવાય, "ત્રિશૂલ", "જંજીર", "સીતા ઔર ગીતા", "હાથી મેરે સાથી", "યાદો કી બારાત" અને "મિસ્ટર ઇન્ડિયા" પણ લખી હતી.
ઇન્દોરના એક સમૃદ્ધ પરિવારમાંથી આવતા, સલીમ ખાન 20 વર્ષની ઉંમરે હીરો બનવાના સપનાઓ સાથે મુંબઈ આવ્યા હતા. તેઓ દેખાવડા હોવાથી તેમને વિશ્વાસ હતો કે તેઓ એક અભિનેતા તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવશે, પરંતુ એવું બન્યું નહીં. લગભગ એક દાયકા સુધી સંઘર્ષ કર્યા પછી અને ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કર્યા પછી, તેમણે પોતાનો રસ્તો બદલ્યો.
તેમણે અબરાર અલ્વીના સહાયક તરીકે કામ કર્યું અને ટૂંક સમયમાં જ અખ્તરને મળ્યા અને લેખક તરીકે હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય લેખકોની જોડી માંની એક બનાવી. તેમણે બે ડઝન ફિલ્મોમાં સાથે કામ કર્યું, જેમાંથી મોટાભાગની ફિલ્મો બ્લોકબસ્ટર રહી.
(પીટીઆઈ)