Tue Jun 23 2026

Logo

રામ મંદિર દાન ચોરીનો કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સમય મર્યાદા તપાસ કરાવવા માંગ

2026-06-22 22:29:09
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરીનો કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ કેસની સમય મર્યાદા તપાસ કરવા માટે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં  સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. તેમજ રામ જન્મભૂમિ ટ્રસ્ટ સાથે જોડાયેલા નાણાકીય અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે સીબીઆઈના વડપણમાં એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી છે.

બે વકીલો દ્વારા જાહેર હિતની અરજી દાખલ 

આ અરજી વકીલ અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારોએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને ટ્રસ્ટને એક મજબૂત નિયમનકારી, દેખરેખ અને ઓડિટ સિસ્ટમ સ્થાપિત કરવા નિર્દેશ આપે જે જનતા અને લાખો ભક્તોનો વિશ્વાસ જાળવી રાખે.

એસઆઈટીએ એફઆઈઆર નોંધ્યા વિના તપાસ શરૂ કરી

આ અરજીમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી હાલની એસઆઈટીએ એફઆઈઆર  કે નિયમિત ફોજદારી કેસ નોંધ્યા વિના તપાસ શરૂ કરી છે. વહીવટી અધિકારીઓની બનેલી એસઆઈટી માં જટિલ નાણાકીય અને ફોજદારી બાબતોને સંભાળવા માટે જરૂરી વિશેષ ક્ષમતાનો અભાવ હોઈ શકે છે.અરજદારોનો દલીલ છે કે જટિલ નાણાકીય કૌભાંડોનો સામનો કરવા માટે જરૂરી કુશળતા, સંસાધનો અને સંસ્થાકીય પદ્ધતિઓ ધરાવતી સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવવી જોઈએ જેનાથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.

તાત્કાલિક એફઆઈઆર નોંધવા અને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી

તેમજ અરજદારોએ આ મામલે તાત્કાલિક એફઆઈઆર નોંધવા અને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરી છે. તેમજ સીબીઆઈની એસઆઈટીને નિશ્ચિત સમયમર્યાદામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરવા નિર્દેશ આપવામાં આવે. જેથી દાન ભંડોળમાં કોઈ ગેરરીતિ, ઉચાપત કે ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકે.