Wed Jun 24 2026

Logo

રામ મંદિરમાં દાન ચોરીની તપાસ વચ્ચે વ્યવસ્થામાં બદલાવ, કર્મચારીઓ માટે ખિસ્સા વગરના પોશાક ફરજિયાત

2026-06-23 22:48:36
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


અયોધ્યા: રામ મંદિરમાં દાન ચોરી  બાદ હવે  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાન ગણતરી અને વ્યવસ્થાપન પ્રણાલીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂક્યા છે. તેમજ દાન ગણતરી ખંડમાં પ્રવેશતા કર્મચારીઓ માટે હવે ખિસ્સા વગરના ખાસ પોશાક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

સીસીટીવી કેમેરાની સંખ્યા છથી વધારીને દસ કરવામાં આવી

આ ઉપરાંત ગણતરી ખંડમાં  પ્રવેશતા મોબાઇલ ફોન, બેગ, પર્સ અને કે અન્ય અંગત સામાન સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ  પ્રવેશ અને બહાર નીકળતી વખતે કર્મચારીઓની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાન પેટીઓમાંથી મળેલી રોકડની ગણતરી કરતી વખતે પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગણતરી ખંડમાં સીસીટીવી કેમેરાની સંખ્યા છથી વધારીને દસ કરવામાં આવી છે.

દાન ગણતરી ખંડમાં પ્રવેશતા દરેક કર્મચારીનો રેકોર્ડ

તેમજ દાન ગણતરી પ્રક્રિયાનું રેકોર્ડિંગ અને દેખરેખ અનેક સ્તરે કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર  નવી સિસ્ટમ હેઠળ  દાન ગણતરી ખંડમાં પ્રવેશતા દરેક કર્મચારીનો રેકોર્ડ જાળવવામાં આવી રહ્યો છે. મતગણતરી પહેલા અને પછી કર્મચારીઓની હાજરીનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. તેમજ સમગ્ર પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે.

એસઆઇટીની તપાસ વચ્ચે મંદિર વહીવટીતંત્ર દ્વારા ફેરફારો 

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરમાં દાન ચોરી અંગે એસઆઇટીની તપાસ  વચ્ચે મંદિર વહીવટીતંત્ર દ્વારા આ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમજ  એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે  દાન ગણતરી અને પેકિંગ પ્રક્રિયાઓ દરમિયાન રોકડ રકમની ઉચાપત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.