કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. કુલ 291 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમત બેનર્જી ભવાનીપુરમાંથી ચૂંટણી લડશે. તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારોની યોદી જાહેર કરતા દીદીએ કહ્યું હતું કે, ચૂંટણીપંચ ભારતીય જનતા પાર્ટી તરફથી સારી રમત રમી રહી છે.
West Bengal | TMC announces names of candidates for 291 assembly seats
— ANI (@ANI) March 17, 2026
Voting for all 294 assembly seats in West Bengal will be held in two phases – on April 23 and 29 – with 152 and 142 seats going to polls, respectively. Counting of votes will take place on May 4. pic.twitter.com/235IbTGpwO
ચૂંટણી પંચે પણ પ્રચાર કરવો જોઈએ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચે પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તૃણમુલ કોંગ્રેસ વિધાનસભાની આ ચૂંટણીમાં 226 થી વધારે બેઠક પર જીત મેળવશે. મમતા બેનર્જી વર્ષ 2021માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ચૂક્યા છે. એ પછી તેઓ ભવાનીપુરથી પેટાચૂંટણી લડ્યા અને વિજય પ્રાપ્ત કરીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા. આ વખતે હવે તેમણે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તૃણમુલ કોંગ્રેસે પાર્ટીમાં સામેલ થયેલા પવિત્રા કાર્કેઈને ટિકિટ આપી છે.
પત્રકાર પરિષદમાં શું કહ્યું?
કૉલકાતાના કાલિધાટ વિસ્તારમાં આવેલી તૃણમુલ કોંગ્રેસના મુખ્ય કાર્યાલયે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ભવાનીપુર બેઠક પરથી મમતા અને સુવેંદુ અધિકારી વચ્ચે ટક્કર થવાની છે. આ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે તેમણે બોયકોટ બીજેપી અને નો વોટ ફોર ભાજપનો નારો આપ્યો છે.
આ ઉપરાંત એવો દાવો પણ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 50 બેઠક પણ નહીં જીતી શકે. વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદાવારોની યાદી જાહેર કરી ચૂકી છે. આ યાદીમાં બંગાળ ભાજપના મોટાનેતા પ્રતિપક્ષ સુવેંદું અધિકારી ભવાનીપુરથી લડી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં બદલી કરવામાં આવેલા સચીવ અને પોલીસ અધિકારીને લઈ દીદીએ ભાજપ પણ ટોણો માર્યો હતો.
ચૂંટણી પહેલા જ ટ્રાન્સફર
ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ મુખ્ય સચીવ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ભાજપને કોઈ કાયદો લાગુ પડતો નથી, તેઓ જ નિયમનો ભંગ કરે છે, હવે ચૂંટણીના મેદાને ઊતરવાનો સમય આવી ચૂક્યો છે.
આ બંગાળના અસ્તિત્ત્વની લડાઈ છે, ભાજપને કોઈ બેઠક મળે એનો કોઈ ચાન્સ નથી. મા, માટી અને માનુષી જીતશે, દિલ્હીના લાડવા અહીંયા ન જીતે.ચૂંટણી શરૂ થાય એ પહેલા જ અધિકારીઓને હટાવી દીધા, સુપર ઈમરજન્સી લગાવીને સરકાર પર કબજો કરી રાખ્યો છે. ઈદ પહેલા જ ટ્રાંસફર કરી દીધી. હવે કયો દાવ ખેલવાની આ યોજના છે?