Sat Apr 18 2026

Logo

ફડણવીસે 7.69 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, લાડકી બહિણ યોજના ચાલુ રહેશે...

2026-03-06 19:20:50
Author: Mumbai Samachar Team
Article Image

2 લાખ સુધીની લોન માફ, અજિત પવારના સ્મારકની જાહેરાત અને 2047 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં 7,69,467 કરોડ રૂપિયાનું રાજ્ય બજેટ રજૂ કર્યું અને કહ્યું કે મહારાષ્ટ્ર 2047 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે. તેમણે ખેડૂતો માટે લોન માફી યોજનાની જાહેરાત કરી. 30 સપ્ટેમ્બર, 2025 સુધી 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરવામાં આવશે, જ્યારે લાડકી બહિન યોજના પણ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

ખેડૂતો માટે 50000 રૂપિયાનું પ્રોત્સાહન
પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર શેતકરી કરજમાફી યોજના ખેડૂતોને લાભ આપશે, એમ ફડણવીસે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે લોનની નિયમિત ચુકવણી કરનારા અન્ય પાત્ર ખેડૂતો માટે 50000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

ગામડાઓને ક્રોકિંટ રસ્તાથી જોડવામાં આવશે
બજેટ રજૂ કરનારા મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન બનેલા ફડણવીસે જાહેરાત કરી હતી કે ૨૦૨૪માં શરૂ કરાયેલી 'મુખ્યપ્રધાન માજી લાડકી બહિણ' યોજના ચાલુ રહેશે અને આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળે છે, તેમને પૂરતું ભંડોળ પૂરું પાડવામાં આવશે. તેમણે કહ્યું કે 1,000થી વધુ વસ્તીવાળા ગામડાઓને કોંક્રિટ રસ્તાઓ દ્વારા જોડવામાં આવશે.

મહેસૂલ પ્રાપ્તિ રૂ. 6.16 લાખ કરોડ, ખર્ચ 6.56 લાખ કરોડ
ફડણવીસે જણાવ્યું હતું કે મહેસૂલ પ્રાપ્તિ રૂ. 6,16,099 કરોડ અને મહેસૂલ ખર્ચ રૂ. 6,56,651 કરોડ હોવાનો અંદાજ છે. મહેસૂલ ખાધ રૂ. 40,552 કરોડ હોવાનો અંદાજ છે. તેમણે જણાવ્યું હતું કે, 2026-27 માટે રાજકોષીય ખાધ રૂ. ૧,૫૦,૪૯૧ કરોડ હોવાનો અંદાજ છે. 

અજિત પવારના નામે એક સ્મારક બનાવવાની જાહેરાત
સરકાર રાજકોષીય ખાધને જીએસડીપીના 3 ટકાથી નીચે રાખવામાં સફળ રહી છે.  રાજ્યની મહેસૂલ ખાધ સતત જીએસડીપીના 1 ટકાથી નીચે રહી છે. ફડણવીસે રાજ્યના ભૂતપૂર્વ નાણા પ્રધાન અજિત પવારને યાદ કર્યા હતા. ફડણવીસે કહ્યું કે સ્વર્ગસ્થ એનસીપી નેતા માટે એક સ્મારક બનાવવામાં આવશે.ફડણવીસ બજેટ રજૂ કરવા ઉભા થયા ત્યારે નીચલા ગૃહમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. ભાષણ શરૂ કરવા ઉભા થતાં જ ગૃહમાં સભ્યોએ 'અજીત દાદા અમર રહે' ના નારા લગાવ્યા અને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી. પવારના અવસાન પછી, ફડણવીસ નાણાં મંત્રાલય સંભાળી રહ્યા છે.

વીમા યોજનામાં ખેતમજૂરોનો સમાવેશ
ફડણવીસે ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે મુખ્યપ્રધાને કહ્યું કે આ બજેટમાં ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં મુખ્ય પ્રધાન બલિરાજા શેઠ પાણંદ યોજના, કુદરતી ખેતી અભિયાન અને વીમા યોજનામાં ખેતમજૂરોનો સમાવેશ જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કૃષિમાં આધુનિકીકરણ, ખેડૂતોના રક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા પર આધારિત છે. ખેડૂતો અને તેમની સાથે કામ કરતા ખેતમજૂરોના રક્ષણ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આનાથી મજૂરોના પરિવારોને આર્થિક સહાય મળશે.

ખેડૂતો માટે મોટી જાહેરાતો
. ગોપીનાથ મુંડે અકસ્માત સહાય યોજનાનું વિસ્તરણ - વીમા યોજનામાં ખેતમજૂરોનો સમાવેશ કરવામાં આવશે.
. મુખ્ય પ્રધાન બલિરાજા શેઠ પાણંદ યોજના - ખેતરો સુધી પહોંચવા માટે અનુકૂળ રસ્તાઓ બનાવવાની નવી યોજના.
. કુદરતી ખેતી અભિયાન - આગામી બે વર્ષમાં રાજ્યભરમાં 'મહારાષ્ટ્ર કુદરતી ખેતી અભિયાન' ચલાવવામાં આવશે.
. મહિલા ખેડૂતો અને પશુપાલન માટે યોજના - મહિલા ડેરી, બકરી ઉછેર અને મરઘાં વ્યવસાય માટે ખાસ આર્થિક યોજના.
. ગ્રામ સડક યોજના તબક્કો-3 - 23 હજાર કિલોમીટર લાંબા રસ્તાઓ અને પુલો બનાવવામાં આવશે.
. કૃષિ વેલ્યુ ચેન વિકાસ - 10થી15 મહત્વપૂર્ણ સ્થળોએ કૃષિ ઉત્પાદનો માટે વેલ્યુ ચેન બનાવીને, ખેડૂતોને વધુ સારા બજારો પૂરા પાડવામાં આવશે.
(પીટીઆઈ)